Monthly Archives: March 2014

પ્રાર્થના :ખુદા સાથે સંવાદ : ડૉ. મહેબૂબ દેસાઈ

૨૨ માર્ચે જલગાંવ (મહારાષ્ટ્ર )મા આવેલ ગાંધી રીસર્ચ ફાઉન્ડેશનની મુલાકાત લેવાનું બન્યું.  ગાંધીજીના જીવન કવનને સાકાર કરતુ સંપૂર્ણ કોમ્પ્યુટરરાઈઝ મ્યુઝીયમ અને ગાંધી સાહિત્યની જાળવણી સંશોધકો માટે સ્વર્ગ સમાન લાગ્યા. સંસ્થાના સ્થાપક શ્રી અશોક જૈન અને ચેરમેન પદમભૂષણ ન્યાયમૂર્તિ ચંદ્રશેખર ધર્માધિકારી દ્વારા સર્જાયેલ આ સંસ્થામાં ગાંધીજીના નિયમ મુજબ રોજ સાંજે છ વાગ્યે પ્રાર્થના સ્થાને સૌ મળે છે અને સર્વધર્મ પ્રાર્થના કરે છે. એ પછી કોઈ વક્તા કોઈ પણ એક સદવિચાર પર પાંચ-દસ મિનીટ વાત કરે છે. એ દિવસે મારા શિરે પ્રાર્થના અંગે વાત કરાવાનું આવ્યું. અને મને ગાંધીજીનો જગન્નાથપુરીનો પ્રસંગ યાદ આવી ગયો. જગન્નાથજીના દર્શન હિંદુ સિવાય કોઈ ન કરી શકે, એ નિયમને કારણે ગાંધીજી દર્શન કરવા ન ગયા. પણ મહાદેવભાઇ અને કસ્તુરબા દર્શન કરી આવ્યા. ગાંધીજી નારાજ થયા. અને તેમણે સાંજે મહાદેવભાઈને પોતાના મંત્રીપદેથી રાજીનામું આપી દેવા કહ્યું. મહાદેવભાઇ એ સાંભળી દુઃખી થઇ ગયા. આખી રાત વિચારતા રહ્યા. અંતે સવારે બાપુને રાજીનામું આપ્યું. રાજીનામું જોઈ બાપુ નરમ પડ્યા અને કહ્યું,

 

“મહાદેવ, મારો મંત્રી જ મારા વિચાર ન માને તો પછી બીજા પાસે શું અપેક્ષા રાખું ? અને પ્રાર્થના કોઈ મુરતની નથી હોતી. મુરત તો પ્રતિક છે. આપણે પ્રાર્થના તો ઈશ્વરની કરીએ છીએ. એ માટે કોઈ મંદિર કે મસ્જિતમાં જવાની જરૂર નથી”

હિંદુ ધર્મમાં જેને આપણે પ્રાર્થના કહીએ છીએ, તેને ઇસ્લામમાં દુવા કહે છે.પણબંનેનોઆઘ્યાત્મિકઅર્થએક જ છે. દુવા કે પ્રાર્થના એટલે ખુદા-ઈશ્વરસાથેભાવનાત્મકસંવાદ. મોટે ભાગે એસંવાદમાંદુ:ખ-દર્દદૂરકરવાનીઆજીજીહોય છે. મનનીમુરાદોનેપામવાનીતમન્નાહોય છે. ખુદાનેરાજીકરવાનીકોશિશ હોય છે. પણ સાચી પ્રાર્થના આ બધાથી પર છે. તેમાં કઈ પામવાનો સ્વાર્થ નથી હોતો. માત્ર ઈશ્વર કે ખુદાને યાદ કરવાનો ઉદેશ જ હોય છે. આવી નિસ્વાર્થ પ્રાર્થના જ મનની શુદ્ધિનું સાધન બને છે. વળી, આસ્થા, શ્રધ્ધા કે ઈમાન વગરની પ્રાર્થના પણ શ્વાસ વગરના શરીર જેવી છે. એક ગામમાં વરસાદની પ્રાર્થના કરવા ગામના પાદરે આખું ગામ ભેગું થયું. સૌના હાથ ખાલી હતા. પણ એક પાદરી છત્રી લઈને પ્રાર્થના કરવા આવ્યા. કારણ કે તેમને શ્રધ્ધા હતી કે તેમની પ્રાર્થના સાંભળી ઈશ્વર જરૂર વરસાદ મોકલશે. અર્થાત પ્રાર્થનામાં ઇમાન, વિશ્વાસકેઆસ્થાભળેછેત્યારેસાચી, નક્કરપ્રાર્થના કે દુવાસર્જાયછે. કુરાનેશરીફમાંફરમાવ્યુંછે,

‘મને(ખુદાને) પોકારો (દુવા કરો) હું તમને જવાબ આપીશ.’ હજરતમુહંમદબિનઅન્સારીનીવફાત (અવસાન) પછીતેમનીતલવારનામ્યાનમાંથીએકચિઠ્ઠીનીકળીહતી. તેમાંલખ્યુંહતું,

“તમે ખુદાની રહેમત (દયા)ની પળ શોઘ્યા કરો. એ પળે તમે જે દુવા કરશો તે કબૂલ થશે?” હજરતમહંમદપયગમ્બર (સ.અ.વ)એફરમાવ્યુંછે,

“દુવા (પ્રાર્થના) જ ઇબાદત (ભકિત) છે.”

હજરતઇમામસૂફિયાનફરમાવેછે,

 “અલ્લાહને તે જ બંદો (ભકત) વધુ ગમે છે. જે તેની પાસે સતત દુવા કર્યા કરે.”જોકેઈશ્વર કે ખુદાપાસેદુવામાગવાનીકેસંવાદકરવાનીપણતહઝીબછે. કુરાનેશરીફમાંફરમાવ્યુંછે,

“તમે તમારા પરવરદિગાર પાસે કરગરીને, આજીજીપૂર્વક, નમ્રતાથી, ધીમેથી દુવા માગો.” ઇસ્લામીગ્રંથોમાંદુવામાગવામાટેનોઉત્તમસમયપણઆપવામાંઆવ્યોછે. એમુજબનમાજમાટેઅઝાનથાયએપછીદુવામાગો.અઝાનઅનેતકબીરદરમિયાનદુવામાગો.ફર્ઝ, નમાજપછીદુવામાગો.કુરાનેશરીફનીતિલાવત (વાંચન) પછીદુવામાગો.આબેઝમઝમનાઆચમનપછીદુવામાગો.કાબાશરીફનાદીદાર (દર્શન) પછીદુવામાગો.આઉપરાંતહજયાત્રાએજતાહાજી સાહેબોએપવિત્રસ્થાનોજેવાંકેકાબાશરીફનીપરિક્રમા (તવાફ) સમયે, ખુદાનાઘર (બયતુલ્લાહ)નીઅંદર, આબેઝમઝમનાકૂવાપાસે, મકામેઇબ્રાહીમપાછળ, અરફાતનામેદાનમાં, ૯ઝિલહજનાદિવસેમીનામાં, હજરતમહંમદપયગમ્બર (સ.અ.વ)નારોઝામુબારકપાસેખાસદુવામાંગવીજોઈએ. આસ્થાનોમાંદુવામાંગવાથી તેઅવશ્યકબૂલથાયછે.દુવાનાસ્થળજેટલીજમહત્તાદુવાનીપદ્ધતિનીછે. દુવાકેવીરીતેમાગવી, એપણઇસ્લામગ્રંથોમાંસવિસ્તારઆપવામાંઆવ્યુંછે. જેમાંનોંધપાત્રબાબતોનીચેમુજબઆપીશકાય.દુવાહંમેશાંકિબલાતરફમોંરાખીનેજકરો.દુવાકરતાસમયેઅવાજધીમોઅનેનમ્રરાખો.હેસિયતથીવધુદુવાનમાગો.દુવાશકયતેટલીટૂંકમાં, સંક્ષિપ્તમાંમાગો.દુવાયકીન, વિશ્વાસસાથેકરો.દુવાકરતાપહેલાંભૂલોનીમાફીમાગો. ખુદાનેતેગમેછે.સિજદામાંદુવાકરવીવધારેયોગ્યછે.દુવાસદ્કાર્યો, આમાલોઅનેપોતાનીનાની-મોટીનૈતિકજરૂરિયાતોમાટેકરો. કોઈનુંબૂરુંકરવાકેઅનૈતિકબાબતોમાટેકયારેયદુવાનમાગો.દુવામાંભાષામહત્ત્વનીનથી. એકાગ્રતા, આજીજીઅનેવિશ્વાસ (ઇમાન) મહત્ત્વનાંછે. ગમેતેભાષામાંદુવાકરો. ખુદાબંદાનીદરેકભાષાસમજેછે. આલીમોએદુવાકબૂલથવાનાચારપ્રકારોઆપ્યાછે.કેટલીકદુવાઓતેજસમયેકબૂલથઈજાયછે.કેટલીકદુવાઓસમયપાકયેજકબૂલથાયછે.કેટલીકદુવાઓનોબદલોઅન્યનેમળેછે. જયારેદુવાકરનારનેઆખિરતનાદિવસેતેનોબદલોમળેછે.  કેટલીકદુવાઓઆજીવનમાંકબૂલથતીનથીપણતેઆખિરતમાંકબૂલથાયછે.ટૂંકમાંદુવા કે પ્રાર્થનાએખુદા-ઈશ્વરસાથેનોજીવંતસંવાદછે. તેનેજેટલોસરળ, નમ્ર, આત્મીયઅનેવિશ્વસનીયબનાવીશકાયતેટલોબનાવો. દુવા કે પ્રાર્થના માટે સ્થળ, સમય કે રીતે એકાગ્રતા કેળવવા માટે હોય છે. જો તમે એ વગર પણ ખુદા સાથે એકાગ્રતા સાધી શકતા હો તો સ્થળ, સમય કે રીતે ગૌણ છે. અંતેતોખુદા-ઈશ્વર તેના બંદાને  આપવાતત્પર હોય છે, બસબાઅદબઅને એકાગ્રચિત્તે માગનારનીજરૂરછે.

Leave a comment

Filed under Uncategorized

With Nature

with Nature

Gandhi Research Foundation, Jalgaon, Maharashtra.

21 March 2014.

1 Comment

March 23, 2014 · 6:18 AM

National Seminar at North Maharashtar University, Jalgaon on 21 March 2014

National Seminar at North Maharashtar University, Jalgaon on 21 March 2014

Leave a comment

March 23, 2014 · 5:10 AM

શ્રી રતીલાલ ઘેલાભાઈ મહેતા અને ગાંધીજી : ડૉ. મહેબૂબ દેસાઈ

આપણે આપણા ઇતિહાસ અને તેના દસ્તાવેજોને જાળવવામાં હંમેશા ઉપેક્ષિત રહ્યા છીએ. ગાંધીજી તો હજુ હમણાં આપણી સાથે હતા. છતાં તેમના અંગે પણ પૂર્ણ તથ્યો આપણી પાસે નથી. આજે પણ તેમના અંગેની અનેક બાબતો ઇતિહાસમાં દટાયેલી પડી છે. જેમ કે ગાંધીજી ઇ.સ. ૧૮૮૮મા એક ટર્મ અર્થાત છ માસ માટે ભાવનગરની સામલાદાસ આર્ટસ કોલેજમાં ભણ્યા હતા. એ છ માસનો આધારભૂત ઇતિહાસ આપણી પાસે નથી. જેમ કે,


૧. ભાવનગરમાં ગાંધીજી કયા વિસ્તારમાં રહેતા હતા ? કયા મકાનમાં રહેતા હતા ?
૨. તેઓ એકલા રહેતા હતા કે તેમની સાથે કોઈ રહેતું હતું ? અને જો તેમની સાથે કોઈ રહેતું હતું તો તે કોણ ?


૩. એ સમયે સામળદાસ કોલેજ ક્યાં ચાલતી હતી ?

આજે ભાવનગરની જુદીજુદી ત્રણ સંસ્થાઓમાં તકતીઓ મુકવામાં આવી છે. જેમાં મોટા અક્ષરોમાં લખવામાં આવ્યું છે કે ગાંધીજી અહિયાં ભણતા હતા. ઈતિહાસની કરુણતા એ છે કે હજુ સુધી આપણે એ નક્કી કરી નથી શક્યા કે ગાંધીજી ભણતા હતા ત્યારે સામળદાસ કોલેજ કયા મકાનમાં ચાલતી હતી.અને કયા મકાનમાં ગાંધીજી ભણવા જતાં હતા. અલબત્ત સામળદાસ કોલેજ અંગે ગાંધીજીએ પોતાની આત્મકથામા એકાદ ફકરો લખ્યો છે. જેમા તેમણે લખ્યું છે,

“મુંબઈમા પણ કોલેજ અને ભાવનગરમાં પણ કોલેજ, ભાવનગરનું ખરચ ઓછું તેથી ભાવનગર શામળદાસ કોલેજમાં જવાનો ઠરાવ થયો. ત્યાં મને કઈ આવડે નહિ, બધું મુશ્કેલ લાગે, અધ્યાપકોના વ્યાખ્યાનોમાં ણ પાસે રસ કે ન પડે સમજ. આમાં દોષ અધ્યાપકોનો નહતો, મારી કચાશનો જ હતો. તે કાળના શામળદાસ કોલેજના અધ્યાપકો તો પહેલી પંક્તિના ગણાતા. પહેલી ટર્મ પૂરી કરી ઘેર આવ્યો” (સત્યના પ્રયોગો, પૃ.૩૨, આવૃત્તિ જાન્યુઆરી ૨૦૧૨) 

ગાંધીજીના આ વિધાન સિવાય સામળદાસ કોલેજનો ગાંધીજી સાથે સંકાયએલો કોઈ ઇતિહાસ કે દસ્તાવેજ ઉપલબ્ધ થતો નથી. ગાંધીજી સાથે એક સત્ર ભણનાર વિદ્યાર્થીઓની સામાન્ય યાદીથી પણ આપણે વાકેફ નથી. હાલમાં જ મારી પીએચ.ડી.ની એક વિદ્યાર્થીની કુ. કમળા વાઢેરએ “સામળદાસ કોલેજ : એક ઐતિહાસિક અધ્યન” વિષય પર સંસોધન કરેલ છે. જેમાં ઇ.સ.૧૮૮૮મા સામળદાસ કોલેજના પ્રથમ સત્રમાં ગાંધીજી સાથે પ્રિવીયસ વર્ષ અર્થાત પ્રથમ વર્ષમાં ભણતા કુલ ૪૯ વિદ્યાર્થીઓની નામાવલી તેમના થીસીસમા આપી છે. એ તમામ નામો અત્રે આપવાનું પ્રયોજન નથી. પણ જેઓ આ અંગે વધુ અભ્યાસ કરવા માંગતા હોય તેઓ તે મહાનિબંધ મેળવીને જોઈ શકે છે. એ ૪૯ નામોમાં એક નામ રાજકોટના વતની અને ગાંધીજીના પરમ મિત્ર છગનલાલ ઘેલાભાઈ મહેતાનું છે. કેટલાક આધારોમાં તે નામ રતિલાલ ઘેલાભાઈ મહેતા આપવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા પ્રકાશિત થયેલ અંગ્રેજી પુસ્તક “મહાત્મા ગાંધી એઝ એ સ્ટુડન્ટ” લેખક જે. એમ. ઉપાધ્યાયમા ગાંધીજીના સહધ્યાય તરીકે રતિલાલ ઘેલાભાઈ મહેતાનું નામ આપવામાં આવેલા છે. જયારે સામળદાસ કોલેજના આધારોમાં છગનલાલ ઘેલાભાઈ મહેતા નામ આપવામાં આવેલ છે. આપણે ગાંધીજીના સહઅધ્યાય અને મિત્ર તરીકે રતિલાલ ઘેલાભાઈ મહેતાનું નામ સ્વીકારીને ચાલ્યે તો આ બંને મિત્રો રાજકોટની કાઠીયાવાડ સ્કુલ જેને પછીથી આલ્ફ્રેડ હાઇસ્કુલ તરીકે નામ આપવામાં આવ્યું હતું, તેમાં પણ સાથે ભણતા હતા. અને ભાવનગરની સામળદાસ કોલેજમાં પણ સાથે ભણતા હતા. અને એટલે જ બંને અભ્યાસકાળ દરમિયાન સાથે જ ભાવનગર-રાજકોટ વચ્ચે આવન જાવાન કરતા હતા.

રાજકોટ શહેરના સદર વિસ્તારમા આવેલ પંચનાથ રોડ પર વૈષ્ણવ હવેલી પાસે શ્રી રતિલાલ ઘેલાભાઈ મહેતાનું મકાન હતું. એ સ્થાને આફ્રિકાવાળા શેઠ શ્રી સવચંદભાઈ હરજીભાઈ પારેખે “શ્રી નિવાસ” નામનું મકાન બનાવ્યું હતું. એક ટર્મ ભાવનગરની સામળદાસ કોલેજમાં અભ્યાસ કર્યા પછી ગાંધીજી બેરિસ્ટરનો અભ્યાસ કરવા વિદેશ ગયા. અને તેમના મિત્ર શ્રી રતિલાલ ઘેલાભાઈ મહેતા રાજકોટની આલ્ફ્રેડ હાઇસ્કુલમાં હેડ માસ્ટર અને બાહોશ કેળવણીકર તરીકે પ્રસિદ્ધ થયા. આ મિત્રતાનો સીલસીલો અહીંયા અટકતો નથી. ગાંધીજી ઇ.સ. ૧૮૯૧ની પાંચમી જુલાઈએ લંડનથી બેરિસ્ટર બની મુંબઈ આવ્યા. અને ૧૦ જુલાઈ ૧૮૯૧ના રોજ રાજકોટમાં આવ્યા ત્યારે તેમની ઈચ્છા વકીલાતના વ્યવસાઈમા સ્થિર થવાની હતી. એટલે મુંબઈ અને રાજકોટ બંને શહેરોમાં વકીલાતનું બોર્ડ તેમણે માર્યું. એવું જ એક બોર્ડ “બેરિસ્ટર મોહનલાલ કરમચંદ ગાંધી – વકીલ” નું રાજકોટના સદર વિસ્તારમા આવેલ પંચનાથ રોડ પર વૈષ્ણવની હવેલી પાસેના બે માળના મકાન પર લગાડવામાં આવ્યું હતું. પોતાના લંગોટિયા મિત્ર રતિલાલ ઘેલાભાઈ મહેતાના મકાનમાં જ પોતાની વકીલાતની ઓફીસ ખોલવા પાછળ પણ વર્ષોની મિત્રતા કારણભૂત હોય તે સ્વભાવિક છે.

“મહાત્મા ગાંધી એઝ એ સ્ટુડન્ટ” પુસ્તકમાં રતિલાલ ઘેલાભાઈ મહેતા સાથેના વિશેષ સંબંધોનો ઉલ્લેખ કરતા લખવામા આવ્યું છે,

“ગાંધીજી ક્રિકેટની રમતના આગ્રહી ટેકેદાર હતા. એટલું જ નહિ પણ આ રમતમા ઉત્સાહ પૂર્વક ભાગ લેતા હતા”

શ્રી રતિલાલ મહેતાના આ કથન પરથી ગાંધીજી અંગેની એક નવી વાત જાણવા મળે છે. રતિલાલ મહેતા આગળ લખે છે.

” ભાગ્યે જ કોઈ જાણતું  હશે કે ગાંધીજી ક્રિકેટની રમતમાં બહુ રસ લેતા અને પાણીદાર ક્રિકેટર હતા અમે ઘણી વખત સાથે ક્રિકેટ રમ્યા છીએ અને મને ખ્યાલ છે કે બોલિંગ અને બેટિંગ બંનેમા ગાંધીજી સારો દેખાવ કરતા હતા”

Leave a comment

Filed under Uncategorized

કાશ્મીરની રાબીયા : લલ્લેશ્વરી : ડૉ. મહેબૂબ દેસાઈ

સૂફી સંતોમાં ભારતમાં જે સ્થાન હઝરત રાબીયા ધરાવે છે, તેવું જ સ્થાન કાશ્મીરમાં સંત લલ્લેશ્વરીનું છે. હાલમાં જ પરિચય ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત અને શ્રી ભુપતરાય ઠાકર દ્વારા લિખિત પરિચય પુસ્તિકા “લલ્લેશ્વરી” મારા વાંચવામાં આવી. લેખકે સુંદર અને સરળ શબ્દોમા લલ્લેશ્વરીનું શબ્દ ચિત્ર અંકિત કર્યું છે. જો કે તેમની રચનાઓના અનુવાદમાં થોડી કચાસ ભાસે છે. પણ કાશ્મીરી ભાષામાંથી ગુજરાતીમાં અનુવાદિત કરેલી રચનો માટે એટલી બાબત ક્ષમ્ય બને. લલ્લેશ્વરીની રચાનઓ જેને “વાખ” કહે છે, તેની અસર એ વખતના કાશ્મીરના અનેક સૂફી સંતો પર થઇ હતી. જેમાના એક હતા શેખ નૂરુદ્દિન વાલી. જેમને લલ્લેશ્વરીએ પોતાનું દૂધપાન કરાવી ઉછેર્યા હતા. જેમને કાશ્મીરના લોકો ઋષિ નુરુદ્દીન તરીકે ઓળખે છે. તેઓ લલ્લેશ્વરીના આધ્યાત્મિક આચાર-વિચારોથી અંત્યત પ્રભાવિત હતા. લલ્લેશ્વરી તેમની એક વાખમા લખે છે,

 “જે કઈ કાર્ય કરું છું તે મારી ભક્તિ છે

  જે કઈ શબ્દ ઉચ્ચારું છુ તે મારી પ્રાર્થના છે

  જે  કઈ શરીર અનુભવે છે તે મારું તપ છે”

એકવાર કાશ્મીરના ત્રણ સંતો સંત નસરુદ્દીન, ઋષિ નંદ અને લલ્લેશ્વરી પોતાના આધ્યાત્મિક અનુભવો વર્ણવતા હતા. સૌ પ્રથમ નસરુદ્દીન બોલ્યા,

“સુર્યના પ્રકાશ જેવો પ્રકાશ નહિ,ગંગા જેવું તીર્થ નહિ, ભાઈ સમો કોઈ બંધુ નહિ અને પત્ની જેવું કોઈ સુખ નહિ”

ગુરુ નંદ બોલ્યા,

“આંખની જ્યોતિ જેવો કોઈ પ્રકાશ નહિ, પગ જેવું કોઈ તીર્થ નહિ, ગજવા જેવો કોઈ ભાઈ નહિ અને ખાનપાન જેવો કોઈ આરામ નહિ”

હવે લલ્લેશ્વરીનો વારો હતો. તેમણે સ્વસ્થ સ્વરે કહ્યું,

“ઈબાદત (ભક્તિ)જેવો કોઈ પ્રકાશ નહિ, જ્ઞાન જેવું કોઈ તીર્થ નહિ, શંકર (ઈશ્વર) જેવો કોઈ બંધુ નહિ અને પ્રભુના ભય (ખુદના ખોફ) જેવું કોઈ સુખ નહિ”

આધ્યાત્મિકતાની આ ઊંચાઈ લલ્લેશ્વરીની વિશિષ્ટતા હતી. સૌથી મોટો પ્રકાશ તો  ખુદાની ઈબાદત દ્વારા પ્રાપ્ત થાય છે. સૌથી મોટી યાત્રા તો જ્ઞાનની યાત્રા છે. માનવીનો સાચો બંધુ તેનો ભગવાન, ખુદા છે. જેની પાસે તે તેના દુઃખોનો ઉકેલ માંગે છે. અને સૌથી મોટો ભય તો ખુદનો છે. તેનો ભય જ આપણ ને સુખનો અહેસાસ અને દુઃખમાં હિમ્મત અર્પે છે. આવા ઉત્તમ સદવિચારોના માલિક લલ્લેશ્વરી કાશ્મીરમા અનેક નામોથી જાણીતા છે. લાલ ડેડ, લલ્લા, લાલ દીદી અને લાલ યોગેશ્વરી. આજે પણ કાશ્મીરના લોકો તેમની રચનાઓને ગાય છે અને તેમા રહેલ આધ્યત્મિક અભિગમને પામવાનો પ્રયાસ કરે છે.સુલતાન અલ્લાઉદ્દીનના શાસનકાળ દરમિયાન ઇ.સ.૧૩૧૭મા શ્રીનગરથી ત્રણેક માઈલ દૂર આવેલા પાન્દ્રેઠન (હાલના સીમપોર)માં એક અંત્યંત સાધારણ બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલ લલ્લેશ્વરીનું શિક્ષણ પિતાના હાથ નીચે થયું હતું.પોતાના અભ્યાસ અંગે તેઓ લખે છે,

“અભ્યાસ કરતા કરતા તાળવા અને જીભ ઘસાઈ ગયા”

આવા સખ્ત અભ્યાસ પછી લલ્લેશ્વરીએ પ્રમનો જે મર્મ પામ્યો એ અદભૂત હતો. સૂફી વિચારધારામાં ઈશ્વર કે ખુદા સાથેનો પ્રેમ એ જ ઈબાદતના કેન્દ્રમા હોય છે. અને એટલે જ લલ્લેશ્વરી કહે છે,

  “પીડા વગરનો પ્રેમ ન ઝંખું

  હુદહુદની ચાંચે હૃદય કોરી ખાધું,

  એ પીડામાંથી પ્રેમ પ્રગટ્યો

  એ પ્રમમાં હું તણાઈ ગઈ છું”

સૂફી પરંપરામાં શરીરની આસક્તિમાંથી મુક્ત થવા પર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે. લલ્લેશ્વરીની વાખમાં તે વિચાર વારંવાર પ્રગટે છે.

 “મોસમી વરસતા જળને કોણ રોકી શકે ?

  પવનને ભલા કોણ મુઠ્ઠીમા બાંધી શકે ?

  જેણે પાંચ ઇન્દ્રીઓને વશ કરી

  તેને અંધકારમાં સુરજ પકડતા કોણ રોકી શકે”

અંધકારમાં સૂરજ પકડવાની ક્રિયા એ સંસારમાં રહીને ઈશ્વરને પામવાની ક્રિયા છે. એ માટે ઈબાદત અર્થાત ભક્તિ અનિવાર્ય છે. પણ ભક્તિ એટલે એકાગ્રચિત ખુદા-ઈશ્વરનું સ્મરણ. જે કઠીન છે. સંસારના સમુદ્રમાં રહીને ભક્તિનો ધાગો (દોરો) પકડી રાખવો મુશકેલ છે. લલ્લેશ્વરી લખે છે,

“સમદરિયે કાચે ધાગે

 નાવડી ખેંચતી જાવ છું,

 કયારે ઈશ્વર સાંભળશે

 કયારે પાર ઉતારશે,

 થઇ ગઈ કાચા ઘડા જેવી

 જળ જેમાં ઝમ્યા કરે

 જીવ અધીરો થાય છે

 અને પાછી વળી જાઉં છું”

ઈશ્વર-ખુદા કણ કણમા છે. તેની શોધ માટે મંદિર, મસ્જિત, ગુરુદ્વારા કે ચર્ચમા જવાની જરૂર નથી. એ તો જ્યાં તમે છો ત્યાં હાજર જ છે. તેને શોધવાની નહિ, પામવાની જરૂર છે. લલ્લેશ્વરી આજ વિચારને પોતાની શૈલીમાં સાકાર કરતા કહે છે,

“તું જ ગગન, તું જ ભૂતળ તું જ દિવ્ય,

 તું જ શીતલ,  તું જ નિશા, તુજ અર્ધ્યે

 તું જ ચંદન, તું જ પુષ્પ, તું જ જળ,

 તું જ સર્વસ્વ, પછી તને શું અર્પું”

 હિંદુ- મુસ્લિમ બંને સમાજમાં તેમની વાખ સમાન રીતે વ્યાપેલી હતી.બધા તેને પોતીકી માની આત્મબોધ પામતા.

“કણે કણમા શિવ છે, જાણી લે એ ભેદ

 હિંદુ-મુસ્લિમ સૌ માટે સમાન અને નેક” 

કોઈ સંપ્રદાય, કોઈ પંથ ન બનાવી લલ્લેશ્વરીએ સમાજને ભેદોના વડાઓથી મુક્ત રાખવાનો આદર્શ આપ્યો છે.સર્વ ધર્મ પ્રત્યે સમાનતા શીખવી છે. સામાજિક, ધાર્મિક, આધ્યાત્મિક વિકાસ ખીલવવા સતતપ્રયાસ કર્યો છે. કાશ્મીરમા લોકજાગૃતિ લાવવામાં તેમનો સિંહફાળો છે. સમાજના સાત્વિક ધડતરમાં આવા સૂફી સંતો જ દરેક યુગમાં અગ્ર રહ્યા છે. સંત લલ્લેશ્વરી એવા સંતોમાં શિરોમણી છે અને તેમની રચનો દ્વારા રહેશે.

2 Comments

Filed under Uncategorized

Lecture on “Religions Tolerances, Secularism and Democracy in India “at National Seminar Organized by Centre for Culture and Development, Vadodara on 8 March 2014 3 to 4PM

Lecture on “Religions Tolerances, Secularism and Democracy in India “at National Seminar Organized by Centre for Culture and Development, Vadodara on 8 March 2014 3 to 4PM

Leave a comment

March 13, 2014 · 7:53 AM

ઇસ્લામમા સ્ત્રીનું સ્થાન : ડૉ. મહેબૂબ દેસાઈ

૮ માર્ચના રોજ વિશ્વમાં આંતર રાષ્ટ્રીય નારી દિવસ ઉજવાયો. વિશ્વના સર્જનમાં નારીનો ફાળો પુરુષ સમોવડીયો છે. ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ મુજબ આદમ અને હવા જન્નત (સ્વર્ગ)માં રહેતા હતા. ખુબ ખુશહાલ હતા. બધા સુખો-સગવડતાઓ તેમને ઉપલબ્ધ હતા. માત્ર એક ફળ  ખાવાની તેમને મનાઈ હતી. એક દિવસ શૈતાને તેમને એ ફળ ખાવા ઉશ્કેરાયા. અને આદમ અને હવાને તે ફળ ખાવાની ઈચ્છા જન્મી. તેમણે તે ફળનો સ્વાદ ચાખ્યો. અને બંને વચ્ચેનું શરીર પરનું આવરણ અલિપ્ત થઇ ગયું. અને બંને વચ્ચે સહવાસ થયો.પરિણામે ખુદાએ તેમને જન્નતમાંથી કાઢી મુક્યા. અને બંને પૃથ્વી પર આવ્યા. એ જ આદમ અને હવા દ્વારા માનવ સમાજનું સર્જન થયું. એ કથા મુજબ આપણે બધા આદમ અને હવાના સંતાનો છીએ.

આમ માનવ સમાજનું સર્જન થયું. પણ સ્ત્રી અને પુરુષની તુલનામાં માનવ સમાજે હંમેશા પુરુષને વિશેષ પ્રધાન્ય આપ્યું છે. છેક આદિ કાળથી માનવ સમાજ પુરુષ પ્રધાન રહ્યો છે. દરેક ધર્મ, સમાજ અને રાષ્ટ્રમાં સ્ત્રી કરતા પુરુષનું સ્થાન ઊંચું રહ્યું છે. પરિણામે પુત્રીનો જન્મ ભારણ અને પુત્રનો જન્મ ખુશી બની રહ્યા. ભારતમાં એક સમયે દીકરીને દૂધ પીતી કરવાની પ્રથા પ્રચલિત હતી. ઇસ્લામના નવસર્જન પૂર્વે અરબસ્તાનમા પણ દીકરીને દાટવાની પ્રથા પ્રચલિત હતી. દીકરીનો જન્મ થાય એટલે પિતા તાજી જન્મેલી પુત્રીને લઈને રણમાં એકલો ચાલી નિકળે. વસ્તીથી દૂર એકાંત રણમાં પહોંચી, રેતીમાં એક ખાડો કરે. અને તાજી જન્મેલી બાળકીને તપતી રેતીમાં દાટીને ચુપચાપ આવતો રહે. આરંભના દિવસોમાં મહંમદ સાહેબ આ જોઈ વ્યથિત થઇ જતાં. અને લોકોને સમજાવતા પણ અરબસ્તાનની જંગલી પ્રજા મહંમદ સાહેબ (સ.અ.વ)ની વાત ન માનતી. મહંમદ સાહેબ પયગમ્બર (સ.અ.વ)થયા પછી ધીમે ધીમે તેઓ પ્રજાને સમજાવવામાં સફળ રહ્યા. મહંમદ સાહેબ (સ.અ.વ.) ઉપર ઉતરતી વહી અર્થાત ઈશ્વરીય આદેશમા પણ સ્ત્રીઓના હક્કો અને તેમના પ્રત્યેના વ્યવહાર અંગે ખુબ જ સ્પષ્ટ શબ્દોમાં આદેશો આપવામાં આવતા. પરિણામે મહંમદ સાહેબ પોતાના ઉપદેશોમાં તે બાબતો ખાસ ભારપૂર્વક પ્રજાને સમજાવતા. કુરાને શરીફમા સ્ત્રીઓ અંગેની અનેક આયાતો જોવા મળે છે. જેમાં સ્ત્રીના નિકાહ, વારસા હક્ક, સ્ત્રીની સાક્ષી, સ્ત્રી સાથેનો વ્યવહાર, તલાક જેવી અનેક બાબતોનો સમાવેશ કરવામાં આવેલ છે.
પડદાપ્રથા કે બહુપત્નીત્વના ઇસ્લામના રિવાજોને કારણે એમ માની લેવું કે સ્ત્રી સ્વાતંત્ર્યને ઇસ્લામમાં સ્થાન નથી, તે બિલકુલ યોગ્ય નથી. આ બંને સામાજિક રિવાજોના મૂળમાં એ સમયની અરબસ્તાનની સામાજિક અને રાજકીય પરિસ્થિતિ જવાબદાર હતી. એ યુગમાં અવારનવાર યુધ્ધો થતા. યુધ્ધોમાં અનેક સિપાયો શહીદ થતા. પરિણામે તેમની વિધવાઓના નિભાવ અને રક્ષણનો પ્રશ્ન ઉદભવતો. એટલે મહંમદ સાહેબે એક વ્યક્તિ વધુમાં વધુ ચાર નિકાહ કરી શકે તેવો ખુદાનો આદેશ લોકોને સંભળાવ્યો. હિંદુ સમાજ પણ બહુપત્નીત્વના રિવાજથી મુક્ત નથી. રાજા દશરથને ત્રણ પત્નીઓ હતી. હિંદુ ધર્મ ગ્રંથોમાં ભગવાન શ્રી કૃષ્ણએ સાત લગ્નો કર્યાના આધારો મળે છે. મહંમદ સાહેબે પણ અગીયાર નિકાહ કર્યાનું ઇસ્લામિક ઇતિહાસમાં નોંધયેલ છે. ટૂંકમાં બહુપત્નીત્વ પ્રથા જે તે યુગની સામાજિક અને રાજકીય જરૂરિયાત હતી. તેને હિંદુ કે ઇસ્લામ ધર્મ સાથે જોડવાની જરૂર નથી.

ઇસ્લામમાં સ્ત્રી સ્વાંત્ર્યના સિદ્ધાંતને સ્વીકારવામાં આવેલ છે. એ માત્ર એક આદર્શ નહીં, પણ વાસ્તવિક અમલીકરણનો વિષય રહ્યો છે. સ્ત્રીઓના સમાન સામાજિક દરજજાનો સ્વીકાર કરતા કુરાને શરીફમાં કહેવામાં આવ્યું છે,

હું તમારામાંથી કોઇ પણ વ્યક્તિના કામને વ્યર્થ નથી ગણતો. ચાહે એ પુરુષ હોય કે સ્ત્રી, તમે પરસ્પર એકમેકનાં અંગો છો.
ઇંગ્લેન્ડમાં છેક સન ૧૮૭૧માં સ્ત્રીઓને મિલકતમાં વારસાહક આપવાનું સ્વીકારવામાં આવ્યું હતું. જયારે ઇસ્લામે તો સ્ત્રીને આજથી ચૌદસો વર્ષ પહેલાં વારસાહક આપ્યો છે. આ અંગે કુરાને શરીફમાં કહ્યું છે,

“પુરુષ અને સ્ત્રી બંનેને મા-બાપ કે નજીકના સંબંધી મૂકી ગયા હોય તે સંપત્તિમાં અધિકાર છે.”

સંપત્તિમાં અધિકારની જેમ જ લગ્ન કે શાદીમાં પણ સ્ત્રીની સંમતિને ઇસ્લામે વિશેષ પ્રાધાન્ય આપ્યું છે. એક હદીસમાં ફરમાવવામાં આવ્યું છે,

“કોઇ વિધવાનાં લગ્ન તેની સલાહસૂચન વિના ન કરવામાં આવે અને કોઇ કુંવારીનાં લગ્ન તેની સંમતિ વગર ન કરો.”

લગ્ન કે શાદી અંગે ઇસ્લામે સ્ત્રીની સંમતિને એટલું બધું મહત્ત્વ આપ્યું છે કે જો નિકાહ પછી પણ સ્ત્રી એમ કહે કે તેની શાદી સંમતિ વગર કરવામાં આવી છે, તો નિકાહ તૂટી જાય છે. આટલેથી ન અટકતાં દુવા કે પ્રાર્થનામાં પણ સ્ત્રીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે,
જેમ કે,

જમીઇલ મુઅમિનીના વલ મુઅમિનાત વલ મુસ્લિમીના વલ મુસ્લિમાત. અર્થાત્,

મુસ્લિમ પુરુષો અને સ્ત્રીઓ ઇમાનદાર પુરુષો અને ઇમાનદાર સ્ત્રીઓ માટે ક્ષમાયાચના.
ઇસ્લામમાં સ્ત્રીની ચારિત્ર્યશુદ્ધિ જેટલું જ મહત્ત્વ પુરુષના ચારિત્ર્યને આપવામાં આવ્યું છે. એટલે કે પુરુષના વ્યાભિચારી સંબંધોને ઇસ્લામે ધિક્કારેલ છે. એ દ્દષ્ટિએ પણ સ્ત્રી અને પુરુષને સમાન રાખવામાં આવ્યાં છે. સ્ત્રીઓની ઘરબહારની સેવાકીય પ્રવૃત્તિઓને પણ ઇસ્લામમાં આવકારી છે. યુદ્ધના મેદાનમાં શૌર્યગીતો લલકારવા કે સૈનિકોને પાટાપિંડી કરવામાં આરબ સ્ત્રીઓએ આપેલ પ્રદાનની નોંધ અરબસ્તાનના ઇતિહાસમાં લેવાઇ છે. આમ દરેક ક્ષેત્રમાં ઇસ્લામે સ્ત્રી અને પુરુષના સમાન સામાજિક દરજજાનો સ્વીકાર કર્યો છે.
એક હદીસમાં કહેવામાં આવ્યું છે,

 “લિબાસ એટલે કે પોશાક જેમ શરીરને રક્ષણ અને શોભા આપે છે તેમ સ્ત્રી અને પુરુષ બંને જીવનને રક્ષણ અને શોભા આપે છે.”

આમ ઇસ્લામે સ્ત્રીઓને વારસા અધિકાર, વિધવા વિવાહનો સન્માનિત અધિકાર, અમુક સંજોગોમાં પતિથી મુકત થવાની છૂટ, સ્ત્રી ધન સ્વાધીન રાખવાની પરવાનગી અને વિદ્યા પ્રાપ્તિનો અધિકાર આપ્યો છે.

 

Leave a comment

Filed under Uncategorized

ધર્મનું આભુષણ સહિષ્ણુતા : ડૉ. મહેબૂબ દેસાઈ

આઝાદ ભારતની બિનસાંપ્રદાયકતામા એક શબ્દ વારંવાર વપરાય છે. અને તે કાફી પ્રચલિત પણ છે. તે છે ધાર્મિક સહિષ્ણુતા. અંગ્રેજીમાં જેને “રીલીજીયસ ટોલરન્સ” કહે છે.દરેક ધર્મના કેન્દ્રમાં ધાર્મિક સહિષ્ણુતા રહેલી છે. હિંદુ ધર્મ ગ્રંથોમાં તેના ઉત્તમ દ્રષ્ટાંતો આપવામાં આવ્યા છે. ૧૧ સપ્ટેમ્બર ૧૮૮૩મા શિકાગોમાં ભરાયેલી વિશ્વ ધર્મ પરિષદમા સ્વામી વિવેકાનંદજીએ કહેલા શબ્દો એ સંદર્ભમાં જાણવા જેવા છે. તેમાં હિંદુ ધર્મની સહિષ્ણુતા બાકાયદા વ્યક્ત થાય છે. 

“મને કહેતા ગર્વ થાય છે કે જે ધર્મનો હું પ્રતિનિધિ છું તે ધર્મે જગતને સહિષ્ણુતા અને વિશ્વબંધુત્વના પાઠો શીખવ્યા છે. અમે સર્વ ધર્મો પ્રત્યે સહિષ્ણુતા બતાવવામાં માનીએ છીએ. એટલું જ નહિ પરંતુ સર્વ ધર્મો સત્ય છે. તેનો પણ અમે સ્વીકાર કરીએ છીએ. પંથવાદ, ધર્માંધતા અને તેના સંતાન સમા ધર્મઝનુને અનેક સંસ્કૃતિઓને પાયમાલ કરી છે. સમસ્ત પ્રજાને હતાશમાં હોમી દીધી છે. જો આવા ભયંકર દૈત્યોનું અસ્તિત્વ ન હોત તો માનવ સમાજે આજના કરતા અનેક ગણી વિશેષ પ્રગતિ સાધી હોત. પણ તેનો સમય હવે ભરાઈ ચુક્યો છે. અને હું ખરા અં:તકરણ પૂર્વક આશા રાખું છું કે આ સભાના માનમાં આજે જે ઘંટ રણકી ઉઠ્યો, તે ઘંટ દરેક પ્રકારના ધર્મઝનુનનો, કલમ અને તલવારથી ચાલતા તમામ અત્યાચારોનો અને સામાન ધ્યેયને પહોંચવા મથતા મનુષ્યો વચ્ચે પ્રવર્તતી સમાન અનુદાર ભાવનાઓનો પણ મૃત્યું ઘંટ બની રહેશે.”

સ્વામી વિવેકાનંદજીના આ શબ્દો હિંદુ ધર્મમા વ્યક્ત થયેલ ધર્મ સહિષ્ણુતાને વાચા આપે છે. ધાર્મિક સહિષ્ણુતા અંગે આપવામાં આવતી વિવિધ વ્યાખ્યાઓનો અર્ક પણ એ જ છે. ધાર્મિક સહિષ્ણુતાની વ્યાખ્યા આપતા વેબસ્ટર શબ્દ કોશમાં કહ્યું છે,

“અન્ય ધર્મ કે સમાજના વિચારો, માન્યતા અને વ્યવહારોની નોંધ લેવી અને તેને માન આપવું એટલે ધાર્મિક સહિષ્ણુતા”

જ્યોર્જ વોશિગ્ટને ઇ.સ.૧૯૭૦મા લખેલ એક પત્રમાં કહ્યું છે,

“હાલ સહિષ્ણુતા અંગે ઘણી ચર્ચા ચાલે છે. સહિષ્ણુતાએ માનવીની વૈચારિક,વ્યહવારિક અને માન્યતાઓના આચરણને માન આપવાની પ્રક્રિયા છે. તેને બ્રિટીશ સરકારે પણ સ્વીકારેલ છે.”

દરેક ધર્મમાં આ વિચાર કેન્દ્રમાં રાખી અન્ય ધર્મીઓ પ્રત્યે સહિષ્ણુતા અને પ્રેમ રાખવાના પ્રયાસો થયા છે. ભારતના ઇતિહાસમાં મુસ્લિમ શાશકોના શાસનકાળમાં પણ પોતાના સહ ધર્મીયોના વિચારો, વ્યવહાર અને માન્યતાઓને સ્વીકારી તેને માન અને સ્થાન આપવામાં આવ્યાના અનેક દ્રષ્ટાંતો નોંધ્યા છે. અને તેના પરિપાક રૂપે જ આજે પણ મુસ્લિમ સંતોની મઝારો પર હંદુ ધર્મીયોના ઝુંડો જોવા મળે છે. આ સંસ્કારોના મૂળમાં અરબસ્તાનમાં મહંમદ સાહેબે આચરણમાં મુકેલ સહિષ્ણુતાના સિદ્ધાંતો રહેલા છે.મહંમદ સાહેબે તેમના ઉપદેશોમાં આ સહિષ્ણુતા વારંવાર વ્યક્ત કરી છે. એ સમયે અરબસ્તાનમાં અનેક ખ્રિસ્તી ધર્મી લોકો વસતા હતા. કેટલાકને તો ખુદ મહંમદ સાહેબે વસાવ્યા હતા. તેને ધ્યાનમાં રાખી મહંમદ સાહેબ કહેતા,

“ખ્રિસ્તીઓના કાઝીઓને અને સરદારોને બદલવાનો કોઈને અધિકાર નથી. કોઈ તેમને તેમના હોદ્દા પરથી ખસેડી શકશે નહિ.”

“કોઈ ખ્રિસ્તી સ્ત્રી કોઈ મુસ્લિમ સાથે લગ્ન કરે તો તે મુસ્લિમ તેના માર્ગમાં કશી અડચણ નહિ નાખે. તેને દેવળમાં જતાં પ્રાર્થના કરતા કે પોતાના ધર્મ પ્રમાણે વર્તતા રોકશે નહિ.”

“ખ્રિસ્તી કોમ સામે કોઈ હથિયાર નહિ ઉપાડે. હા, તેમના રક્ષણ માટે હથિયાર ઉઠાવવાનો મુસ્લિમનો ધર્મ છે.”

આપણે ત્યાં હાલ વાતચીતના આરંભમાં કહેવાતા સંબોધન કે શબ્દોનું ચલણ વધતું જાય છે. જેમ કે એક મુસ્લિમ બીજા મુસ્લિમને મળે છે ત્યારે કહે છે,

“અસ્સલામોઅલયકુમ”  તેના જવાબમાં

“વાલેકુમ અસ્ સલામ” કહેવામાં આવે છે. એ જ રીતે અન્ય સંપ્રદાયો કે ધર્મોના લોકો પણ આવા શબ્દ પ્રયોગો કરતા થયા છે. જેમ કે “જય માતાજી” , “જયશ્રી કૃષ્ણ” , “જય સ્વામીનારાયણ” , “જય સોમનાથ” , “જય જિનેન્દ્ર” આ અંગે પણ મહંમદ સાહેબે ફરમાવ્યું છે, 

“જયારે તમને કોઈ સલામ કરે તો તમે તેને અત્યંત સારા શબ્દોમાં જવાબવાળો. અથવા જેવા શબ્દો તેણે કહયા છે તેવા જ શબ્દોમાં જવાબવાળો. અલ્લાહ દરેક બાબતોનો નિગેહબાન છે.”

આ ક્રિયા ભલે અત્યંત સામાન્ય લાગતી હોય. પણ સહિષ્ણુતા કેળવવામાં તેનું મોટું પ્રદાન છે. તમે અન્યના સંબોધનને જેવા સ્વીકારીને અભિવાદનમાં તેનો ઉપયોગ કરશો કે તુરત એ વ્યક્તિ તમારા અભિવાદનના શબ્દોનો ઉપયોગ કરવા માંડશે. હું જયારે જયારે જય જેનેદ્ર , જય માતાજી કે જય સ્વામિનારાય કહું છુ ત્યારે ત્યારે મને સામેથી “સલામાલેકુમ” શબ્દ અવશ્ય સંભળાય છે.

સહિષ્ણુતાનું એક અન્ય લક્ષણ પણ દરેક ધર્મે સ્વીકારેલ છે. અને તે એ છે “ક્ષમા”. હિંદુ ધર્મમાં “ક્ષમા વીરસ્ય ભૂષણમ” ક્ષમા વીરનું આભુષણ છે એમ કહેવામાં આવ્યું છે. ક્ષમા માંગનારા અને ક્ષમા આપનારા બંને મહાન છે. ઇસ્લામમાં મહંમદ સાહેબે ક્ષમા અને સબ્રને વિશેષ સ્થાન આપ્યું છે. મહંમદ સાહેબને ઝેર આપી મારી નાખવાનો પ્રયાસ કરનાર યહુદી સ્ત્રીને કશી સજા કર્યા વગર મહંમદ સાહેબે માફ કરી દીધી હતી. મહંમદ સાહેબ હંમેશા કહેતા,

“તમે પૃથ્વીવાસીઓ પર દયા અને ક્ષમા કરો, આકાશવાળો તમારા પર દયા અને ક્ષમા કરશે.”

આવી ધાર્મિક સહિષ્ણુતા દરેક દેશ કે સમાજ માટે અનિવાર્ય છે. અને તો જ સમાજમાં સાચી લોકશાહી અને બિનસાંપ્રદાયિકતાને આપણે સાકાર કરી શકીશું.

Leave a comment

Filed under Uncategorized