Monthly Archives: December 2009

Published books of Prof.Mehboob Desai

History

1. Mahek (1986)
2. Betalisman Saurashtra (1989)
3. Avishkar (1990)
4. “Bhavnagar State Prajaparishad and
Popular Movements in the Context of
National Movements for Freedom of
India (1920-1947): A Study”
(1992) (Ph.D.Thesis)
5. Swatantra Sangramman Amereli (1991)
6. Hindostan Hamara (1994)
7. Gujaratna Swatantra yugnu Alekhan Karta
grantho (1995)
8. Azadina Ashak Meghani (1996)
9. Bhavnagar Rajyano Itihas (co-writer) (1997)
10. Saurashtrani Swtantra Zekhena (1997)
11. Gujratna Navter Satyagraho (1999)
12. Azadina Pagrav (2000)
13. Gujaratni Swtantra Sadhena (2001)
(second editon 2009)
14 Sardar Patel Ane Bhartiya Muslimo (2001)
15 V-Chariya (2006)
16 Bharatna Itihasni Tavarikh (2006)
17 Muslim Maha-Aatmao (2009)

Sociology (Gujarati)

1. Muslim Manas (2003)
2. Muslim Samaj: Vyath ane Vichar (2003)

Tourism (Gujarati)

1. Do Kadam Hambhi Chale (1997)
2. Safer-E-Saudi Arbia (2001)
3. Gujaratma Pravasan (2004)
4. Austrliya yatra (in press)

Literature (Gujarati)

1. Nokhi Matina Nokha Manvi (1995)
2. Gandhiji (1990)
3. Ravishanker Maharaj (1990)
4. Aapen Jewaher (1991)
5. Adikham Swatantra Sainik Morarji Desai(1992)
6. Krantikari Bhagat Singh
7. Snehni Sarvani (2004)
8. Sufi Jan To Tenere Kahiye.. (2007)
9. Smurtivandena (2008)

Education (Gujarati)

1. Proudha Shikshan: Sindhan Ane Vyvehar
(1989)
2. Proudh Shikshan (1990)
3. Proudha Shikshan:Yojana Ane Sanchalan
(1990)
4. Rameta Rameta Proudh Shikshan
(1991)(cowriter)
5. Janshikshan Niyam (1991)
6. Proudh Shikshan (1994)

Religion (Gujarati)

1. Parab (1991)
2. Shamm-E-Feroza – 1 (1991)
3. Shamm-E-Feroza – 2 (1994)
4. Hazerat Khadija (1991)
5. Kabira Soi Pir Hai.. (1997) (Second Edition 2004)
6. Manav Dharam Islam (1998)
7. Mulyanishtha Mazehab Islam (2004)
8. Alekhne Otele (2008)

English Book

1. Islam And Non-Violence (2009)

Edited Work (Gujarati)

1. Urbanization & Modernisation in Princely States
Of Western India (1858 to 1947) (2001)
2. Itihasma Pravasen (2004)

Leave a comment

Filed under Uncategorized

અહિંસાના પુજારી હઝરત ઈમામ હુસેન:ડો. મહેબૂબ દેસાઈ

અહિંસાના પુજારી હઝરત ઈમામ હુસેન

ડો. મહેબૂબ દેસાઈ

૧૨ ડીસેમ્બેરસુધી અઢળક લગ્નો લેવાયા.૧૨મીએ તો એક સાથે ત્રણ ચાર ભોજન
સમારંભોમા હાજરી આપવી પડી. કારણકે ૧૨ પછી ચાર-છ માસ સુધી કમુરતા છે. ઇસ્લામના અનુયાયો પણ આજ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. ૧૯ ડિસેમ્બરે મહોરમ માસનો આરંભ થાય છે. એ માસ દરમિયાન મુસ્લિમો કોઈ શુભ પ્રસંગ કરતા નથી. મહોરમ હિજરી સંવંતનો પ્રથમ માસ છે. મુસ્લીમોના નવા વર્ષનો આરંભ આ જ માસથી થાય છે. મહોરમ અરબી ભાષાનો શબ્દ છે. તેનો અર્થ થાય છે ગમ , શોક કે દુ:ખ. આ જ માસની ૯ અને ૧૦મી તારીખે હઝરત ઈમામ હુસેન અને તેમના સાથીઓની શહાદત થઈ હતી.
સત્ય અને અસત્યની એ લડાઈમાં ઈમામાં હુસેન શહીદ થયા. માટે જ આ માસ મુસ્લિમો માટે ગમ, શોક અને દુ:ખનો માસ છે. મોહંમદ સાહેબ (સ.અ.વ.)ના પુત્રી હઝરત ફાતિમા (ર.અ.)ના નિકાહ હઝરત અલી (ર.અ.) સાથે થયા હતા.તેમના સંતાન હઝરત ઈમામ હુસૈન (ર.અ.) કરબલાના યુદ્દમાં તેમના ૭૨ સાથીઓ સાથે શહીદ થયા.એ ઘટના ઇસ્લામી ઇતિહાસની અત્યંત કરુણ ઘટના છે. હઝરત ઈમામ હુસેનનો જન્મ મદીનામાં ૫ શાબાન હિજરી સંવંત ૪મા થયો હતો. નાના હઝરત મોહંમદ સાહેબ (સ.અ.વ.)નો ખોળો ખુંદી અત્યંત લાડકોડમાં ઉછરેલા હઝરત ઈમામ હુસેનની ઈબાદત અને સખાવત
ઇસ્લામના ઇતિહાસમાં જાણીતી છે. ૨૫ વખત પગપાળા હજજ કરનાર ઈમામ હુસેન અંગે એક વાર હઝરત ઝયનુંલ આબેદીનને કોઈકે પૂછ્યું ,
” હઝરત ઈમામ હુસેનને ઔલાદ (સંતાન) કેમ નથી ?”
જવાબ મળ્યો,
” કારણ કે તેઓ રાત-દિવસ ખુદાની ઇબાદતમાં મશગુલ રહે છે.”
હઝરત ઈમામ હુસેનની સખાવત પણ ચોમેર પ્રસરેલી હતી . વયોવૃદ્ધ , અશક્ત અને આબરૂદાર માનવીઓને ઈમામ હુસેન મોં માંગી મદદ કરતા. બેરોજગારોને એક હજાર દીનાર અને એક હજાર બકરીઓ વિના હીચકીચાહત તેઓ આપી દેતા. એકવાર એક નિર્ધન, પણ આબરૂદાર માનવી આપના દ્વારે આવ્યો. એક નાનકડી ચબરખીમાં તેણે લખ્યું,
” હું અત્યંત ગરીબ છું . જવનો એક દાણો ખરીદવા જેટલા પૈસા પણ મારી પાસે નથી. માત્ર એક વસ્તુ મારી પાસે છે, અને તે મારી આબરૂ . તેને વેચવા આપની પાસે આવ્યો છું.આપ તેની જે કિંમત આંકો તે મને મંજુર છે.”
હઝરત ઈમામ હુસેન આ ચબરખી વાંચી બહાર દોડી આવ્યા. પેલા આબરૂદાર માનવીના હાથમાં દસ હજાર દીનાર મુકતા આપે ફરમાવ્યું,
“હે સવાલી, હાલ તુરત આનાથી વધારે રકમનો બંદોબસ્ત મારાથી થઇ શકે તેમ નથી. તું એમ જ સમજ જે કે તેં સવાલ નથી કર્યો અને મેં તારી આબરુની કિંમત નથી આંકી”

આવા ઉદાર,સખાવતી અને ખુદાની ઇબાદતમાં હંમેશા લીન રહેતા હઝરત ઈમામ હુસેન અને તેમના ૭૨ સાથીઓ જયારે દુશ્મન યઝીદના લશ્કરથી ઘેરાય ગયા ત્યારે પણ તેમનો આ સ્વભાવ
યથાવત હતો. કરબલાના મેદાનમાં મહોરમ માસની પહેલી તારીખથી જ હઝરત ઈમામ હુસેન તેમના ૭૨ સાથીઓ સાથે ઘરાય ગયા હતા. મહોરમ માસની ૭, ૮ અને ૯મી તારીખે તો પાણીના એક એક બુંદ માટે નાના મોટા સૌ તડપતા હતા. ૯ અને ૧૦મી વચ્ચેની રાત તો કતલની રાત હતી.યઝીદના ચાર હજાર ઘોડેસવારોએ અહિંસાના પુજારી સમા ઈમામ હુસેનના ૭૨ સાથીઓને ઘેરી લીધા.ત્યારે પણ હિંસાને રોકવા હઝરત ઈમામ હુસેને પોતાની જાતને અર્પણ કરતા યઝદીને સંદેશો પાઠવ્યો હતો,

” મને મારી નાખો, કેદ કરીલો પણ મારા નિર્દોષ સાથીઓ, બાળકો, સ્ત્રીઓ ને ન મારશો ”

પણ ક્રૂર યઝદી તેમની વાત ન માન્યો અને પોતાનું વિશાલ લશ્કર ઈમામ હુસેનના સાથીઓ
પર છોડી મુક્યું . ઈમામ હુસેનના સાથીઓએ હિંમતભેર તેનો સામનો કર્યો. સત્ય અને અસત્ય,
ધર્મ અને અધર્મ, નીતિ અને અનીતિની એ લડાયમાં હઝરત ઈમામ હુસેનન ૭૨ સાથીઓ પણ યઝદીના વિશાલ લશ્કરને ભારે પડ્યા. યઝદીએ પીછેહટ કરવી પડી અને તેથી તે ઉશ્કેરાયો.
યુદ્ધના તમામ નિયમો નેવે મૂકી તેણે આડેધડ કતલેઆમ શરુ કરી. ત્યાં સુધી કે પ્રવચનમાં બેઠેલા હઝરત ઈમામ હુસેનને પણ પીઠ પાછળથી ઘા કરી ઝખ્મી કર્યા. અને આમ હઝરત ઈમામ હુસેન અને તેમના સાથીઓ શહીદ થયા. એ દિવસ હતો ૧૦ મોહરમ ,શુક્રવાર હિજરી સંવંત ૬૧, ઈ.સ. ૬૮૦ ઓક્ટોબર માસની ૧૦ તારીખ.
ઈમામ હુસેનની આ શહાદતના શોકમાં મોહરમ માસમાં મુસ્લિમો શોક પાળે છે. ઈમામ હુસેન માટે દુઆ કરે છે અને તેમની શહાદતને આંસુભીની આંખે યાદ કરે છે.

Leave a comment

Filed under Uncategorized

મને ભારતના વડાપ્રધાન બનાવો : ડો. મહેબૂબ દેસાઈ

મને ભારતના વડાપ્રધાન બનાવો

ડો. મહેબૂબ દેસાઈ

રાહુલ ગાંધીના વિધાને ખળભળાટ કર્યો છે. અલીગઢ મુસ્લિમ વિશ્વ વિદ્યાલયના વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે કરેલ વિધાન ” કોઈ પણ લાયક મુસ્લિમ ભારતનો વડાપ્રધાન બની શકે” રાહુલ ગાંધીનું આ વિધાન ભારતના રાજકારણની અસલ તાસીર વ્યક્ત કરે છે. એ તાસીરના પ્રવાહોથી ભારતનો મુસ્લિમ અજાણ છે, તેમ કહેવું ખોટું છે. મુસ્લિમ નેતાગીરીમાં આવતી જતી ઓટથી કોણ અપરિચિત છે ? ભારતના ૧૩ ટકા મુસ્લિમ સમુદાયનું લોકસભા અને વિધાનસભામાં ઘટતું જતું પ્રતીનીધીત્વ આંકડોઓની ભરમાર વગર પણ જોઈ શકાય છે. ગત લોકસભાની ચૂંટણીમાં ૩૪ મુસ્લિમો ચૂંટાય આવ્યા હતા. આ વખતે તેની સંખ્યામાં ઘટાડો થયો છે. માત્ર ૨૮ સભ્યો મુસ્લિમ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. મુસ્લિમ નેતાઓ માત્ર આંગળીના વેઢે ગણાય તેટલા જ છે. કોંગ્રસમાં ગુજરાતના અહેમદ પટેલ ,ગુલામનબી આઝાદ અને સલમાન ખુરશીદ જાણીતા નામો છે. ભાજપમાં તો મુસ્લિમ નેતાગીરીને પાંગરવાની તક જ નથી, એવો અહેસાસ ભારતનો દરેક મુસ્લિમ અનુભવે છે. આ માટે કેટલાક કારણો જવાબદાર છે.

૧. રાજકારણમાં ધર્મનો વધતો જતો પ્રભાવ
૨. મુસ્લિમ સમાજની રાજકારણ પ્રત્યેની ઉદાસીનતા છે.
૩. મુસ્લિમ સમાજની આંતરિક જૂથબંધી.
૪. મુસ્લિમ મતદાર વિસ્તારોનું થયલું વિભાજન

આ તમામ કારણોએ મુસ્લિમ નેતાગીરીને રૂંધી નાખી છે. આવા સંજોગોમાં મુસ્લિમ નેતાગીરીને આગળ આવવાની તક નહીંવત બની ગઈ છે. એવા સમયે ભારતના વડાપ્રધાન પદ માટે લાયક મુસ્લિમની વાત ઉચ્ચારવી એ ઝાંઝવાના જળ સમાન છે.આમ છંતા આપણા નેતાઓની ઉદારતા માટે માન થાય છે. બાળ ઠાકરે સાહેબ મુસ્લિમ વડા પ્રધાન બનાવવા તૈયાર છે. પણ રાહુલ ગાંધી જેવીજ લાયક ઉમેદવાર માટે ત્રણ શરતો મુકે છે.

૧. રામ જન્મ ભૂમિ પર મંદિર બનાવે
૨. વન્દેમાતરમ ગીતનો સ્વીકાર કરે
૩. સમાન સિવિલ કોડનો સ્વીકાર કરે.

આ ત્રણે શરતોનો સ્વીકાર કરનાર મુસ્લિમને ઠાકરે સાહેબ વડાપ્રધાન બનાવવા તૈયાર છે. હું તેમની એ ત્રણે શરતો સ્વીકારવા તૈયાર છું. રાહુલ ગાંધીની શરત મુજબ શિક્ષિત મુસ્લિમ તરીકે ભારતના વડાપ્રધાન થવાની લાયકાત હું ધરાવું છું. ઠાકરે સાહેબની ત્રણે શરતો મને માન્ય છે. કારણકે આ શરતો સ્વીકારવાથી ભારતનો શિક્ષિત મુસ્લિમ વડાપ્રધાન બની સકતો હોઈ તો પણ સોદો ઘણો સસ્તો છે.આજે જે રીતે મુસ્લિમ નેતાગીર અલોપ થઈ રહી છે, એ જોતા આટલી શરતોએ મુસ્લિમ નેતાગીરીને પાંગરવાની તક કઈ નાની સુની વાત નથી. રામ મંદિર બનાવવના મુદ્દે શિક્ષિત મુસ્લિમોનું વલણ હંમેશ હકારાત્મક રહ્યું છે.રામ મંદિરના હોબાળ સમયેજ મુસ્લિમોએ વારંવાર કહ્યું છે, મંદિર બનાવી વાતનો તંત મુકો. પણ મંદિરના સર્જન કરતા તેના વિવાદમાં રાજકારણીઓને વધુ રસ રહ્યો છે. જયારે વન્દેમાતરમના ફતવા સામે શિક્ષિત મુસ્લીમોના બહોળા હકારાત્મક પ્રતિભાવો હાલમાંજ આપણે જાણ્યા છે. સમાન સિવિલ કોડનો મુદ્દોતો હિંદુ અને મુસ્લિમ બંને પ્રજાને લાગુ પડે છે. હિંદુ કોડ અને મુસ્લિમ કોડના વિલીનીકરણ પછી જ સમાન સિવિલ કોડની રચના થશે.એ માટે માત્ર મુસ્લિમોએ જ ચિંતિત થવાની જરૂર નથી.

એક શિક્ષિત મુસ્લિમ તરીકે હું બંને નેતાઓને અપીલ કરું છું કે મને ભારતનો વડા પ્રધાન બનવો. કારણકે બન્ને નેતાઓની શરતોનું તહેદિલથઈ હું પાલન કરીશ.વાચકોને મારી દરખાસ્ત હસ્યાસ્પદ જરૂર લાગશે. પણ એમાં લગાડવાની જરૂર નથી. એ તો છે જ . પણ લોકશાહી રાષ્ટ્રમાં વડા પ્રધાન પદ માટેની શરતો લઘુમતી સમુદાય માટે મુકાય એ વાત પણ એટલી જ હાસ્યાસ્પદ લાગે છે. વળી, એ માટે એવા લઘુમતી સમાજની પસંદગી થાય કે જેની નેતાગીરી દિનપ્રતિદિન ક્ષીણ થતી જાય છે. એ સાચ્ચે જ દુ:ખદ બાબત છે. આજે મુસ્લિમ સમાજની નેતાગીરીને નવો ઓપ આપી, રાજકારણના હાંસિયામાં મુકાય ગયેલા મુસ્લિમ સમાજને લોકશાહીમાં પ્રતીનીધીત્વ આપવાની દેરક પક્ષની ફરજ છે. પણ એ ફરજ પ્રત્યે સભાનતા કેળવવાને બદલે મુસ્લિમોને લોકશાહીમાં શરતી વડા પ્રધાન બનાવવાની તરંગી વાતો કેટલી બંધારણીય ગણાય, એ મુદ્દો વિચારણા માંગી લે તેવો છે.

1 Comment

Filed under Uncategorized