Monthly Archives: June 2009

Dot Give Money : Prof. Mehboob Desai

प्रिय दोस्तों,
आज आपसे इंटरनेटकी एक बड़ी समस्या के बारे में बात करना चाहता हु. इंटरनेट एक बड़ी उपलब्धि है.
पर इस मे थोडा खतरा भी है. आपकी थोडी सी सावधानी इस खतरेको टाल सकती है.
आप अपना पासवर्ड किसीको न बताये. इसका गलत इस्तेमाल हो सकता है जैसा की मेरे पासवर्ड का हो रहा है
मेरा पुराना ईमेल पता mehboobdesai@yahoo.com था.

लेकिन मेरा पासवर्ड किसीने चुरा लिया. और आज मेरे पुराने ईमेल पर कोई आदमी मेरे नामसे मेरे दोस्तोसे पैसे मांग रहा है.
आपको नम्र विनंती है की आप ऐसे ईमेल पर ध्यान न दे.
मैंने मेरा ईमेल पता बदल दिया है.मेरा नया ईमेल पता mehboobudesai@gmail.com है.

आप अब इसी ईमेल पैर मेरा सम्पर्क कर सकते है.

आभार

आपका अपना

महेबूब देसाई

Leave a comment

Filed under Uncategorized

Symbol of Culture : Islam .Prof. Mehboob Desai

‘ઇલ્મ કા મરકજ હૈ, તહેઝીબ કી તૂ શાન હૈં’ ઇસ્લામ

Prof. Mehboob Desai

વસીમ મલિકની ગઝલોમાં સત્ય અને ઇમાન બંનેનો વાસ છે. રાષ્ટ્રવાદી વિચારો સાથે મજહબી મીઠાશના તેઓ માલિક છે.

જેમની શાયરીને વારીસ અલવી, રાહત ઇન્દોરી અને મનવર રાનાએ ગઝલના આભૂષણ તરીકે મૂલવેલા છે, તે શાયર છે વસીમ મલિક. રાંદેર (સુરત) નિવાસી વસીમ મલિકની ગઝલોમાં સત્ય અને ઇમાન બંનેનો વાસ છે. રાષ્ટ્રવાદી વિચારો સાથે મજહબી મીઠાશના તેઓ માલિક છે.

‘બેઠે બેઠે અપને હી ઘર મેં મુસાફીર હો ગયે,
હમને હિજરત ભી નહીં કી ઔર મુહાજિર હો ગયે.’

પોતાના જ દેશમાં વિદેશી બની રહેવાનું કયા ભારતીયને ગમે? વસીમ મલિકે હિજરત જેવા શબ્દને સુંદર અંદાજમાં એ વિચાર સાથે વણી લીધો છે. માનવતાના જતનનું બીડું ઝડપનાર વસીમ લખે છે:

‘જુલ્મ કે આગે જો દુનિયા કો ઝુકાના ચાહતે હૈં,
કાગઝ કી કસ્તી સમંદર મેં ચલાના ચાહતે હૈં.
કયા કરે અબ કોઇ દરબારે જહાંગીર નહીં,
અદ્લ કી ઝંઝીર તો હમ ભી હિલાના ચાહતે હૈં.’

જિંદગીની આવી કડવી સત્યતાને અભિવ્યકત કરનાર ઇસ્લામની સાચી ઓળખ આપવા જે શબ્દોનો ઉપયોગ કર્યો છે, તે સાચ્ચે જ તારીફ-એ-કાબિલ છે. ક્રાંતિકારી શાયર જયારે ઇસ્લામના માનવીય ગુણોને વાચા આપે છે ત્યારે ઇસ્લામ સમાજનું અમૂલ્ય આભૂષણ બની શોભી ઊઠે છે. વસીમ મલિકનું ઇસ્લામનું એ ગીત (તરાના) માણવા જેવું છે.

‘ઇલ્મ કા મરકજ હૈ, તો તહઝીબ કી તૂ શાન હૈં,
અંજુમને ઇસ્લામ, તેરી કયા નિરાલી શાન હૈં.’
દીનો દુનિયા કી તુઝી સે રોશની હમકો મિલી,
તેરે દમ સે જિંદગી સી જિંદગી હમ કો મિલી
તાલિબાન-એ-ઇલ્મ પર તેરા બડા અહેસાન હૈં
અંજુમને ઇસ્લામ તેરી કયા નિરાલી શાન હૈં.’
ભાઇચારે ઔર મુહબ્બત કા સબક તૂને દિયા,
આદમી કહલાએ જાન કા ભી હક તૂને દિયા,
અજમતોં કા તેરી કાયલ આજ હર ઇન્સાન હૈં
અંજુમને ઇસ્લામ તેરી કયા નિરાલી શાન હૈં.
આલિમોને લી હૈ દિલચસ્પી તેરી તામીર મેં
ઇલ્મો ફન કા રંગ શામિલ હૈ તેરી તસવીર મેં
આન હૈ તૂ હિંદ કી, ગુજરાત કી તૂ શાન હૈ
અંજુમને ઇસ્લામ તેરી કયા નિરાલી શાન હૈં.’

ઇસ્લામને આવી શાનદાર રીતે રજૂ કરનાર શાયર વસીમ મલિકની એક રચનાનું નામ છે. ‘અસ્સલાતુ ખૈરૂમ મિનન નૌમ’ અર્થાત્ ‘નમાજ ઊઘથી બહેતર છે’ જેમાં તેમણે ઊઘને ત્યાગી નમાજનું શરણ લેવાની સુંદર હિદાયત આપી છે.

ઇસ્લામને પોતાની ગઝલોમાં વણી, આમ સમાજ સુધી પહોંચાડનાર વસીમ મલિક રાષ્ટ્રવાદી ઇન્કલાબી શાયર પણ છે. હિંદુસ્તાનને પોતાની સરઝમી ગણતા વસીમ લખે છે,

‘આજ તક કયું તેરી પહેચાન નહીં હૈં હમ લોગ,
અય વતન કયા તેરી સંતાન નહીં હૈં હમ લોગ,
ઇસ ભૂલાવે મેં ન રહેના કે ચલે જાયેંગે,
અય સિયાસત કોઇ મહેમાન નહીં હૈં હમ લોગ.’

અલ્લાહના બંદા અને રાષ્ટ્રીય ગઝલોના સર્જક જનાબ વસીમ મલિકની ઉપરોકત ગઝલોનો સંપુટ ‘ધુંવા કલ ભી બહોત થા’ સાચ્ચે જ માણવા જેવો છે. એ માટે વસીમ મલિકને ખૂબ ખૂબ અભિનંદન.

Leave a comment

Filed under Uncategorized

Kabir : Prof. Mehboob Desai

‘કબીર’ શબ્દ અરબી ભાષાનો છે. તેનો અર્થ થાય છે ‘મહાન’. હિંદુ-મુસ્લિમ ઐકયના પુરસ્કર્તા કબીરે તેમના નામને સાર્થક કર્યું છે. ૧૬ મે ૧૫૧૮માં ગોરખપુરથી થોડે દૂર મગહર નામના નાનકડા ગામમાં કબીરે દેહ છોડયો હતો. એ સમયે લોકો કહેતા કે કાશીમાં મરણ પામે તે સ્વર્ગમાં જાય અને મગહરમાં મરે તે બીજા જન્મે ગધેડો થાય. કાશીમાં જીવનપર્યંત રહેનાર કબીર છેક છેલ્લી અવસ્થામાં લોકોની માન્યતાને તોડવા મગહર ગયા અને ત્યાં જ મૃત્યુ પામ્યા. આ હતી કબીરક્રાંતિ.

કબીરનું જીવન સમન્વયના સ્તંભ પર ખડું છે. પ્રેમ, ભકિત અને જ્ઞાન ત્રણેને હિંદુ અને ઇસ્લામના પસંદીદા સિદ્ધાંતો પર અમલી કરી પરમાત્મા કે ખુદાના અહેસાસને તેમણે પામ્યો હતો. અને એટલે જ તેમની વાણીમાં કટુતા અને સત્યતાનો સુભગ સમન્વય જોવા મળે છે.

ઉરચ બ્રાહ્મણકુળની કન્યાનું એ ત્યકતા સંતાન, જેનું પાલનપોષણ મુસ્લિમ દંપતી નીરુ અને નીમાએ કર્યું. પરિણામે ઇસ્લામી સંસ્કારો કબીરને બાળજીવનમાં સાંપડયા અને હિંદુ ધર્મની વિભાવના સંત રામાનંદજીએ સમજાવી બંને ધર્મના ઉમદા સિદ્ધાંતો તેમણે સ્વીકાર્યા. હિંદુ ધર્મના પુનર્જન્મના સિદ્ધાંતોનો તેમણે સ્વીકાર કર્યો. પણ મૂર્તિપૂજા, સંતવાદ, જાતિવાદ જેવા હિંદુ ધર્મના સિદ્ધાંતો તેમણે ન સ્વીકાર્યા. તેના સ્થાને ઇસ્લામનો એકેશ્વરવાદ (તૌહિદ)નો સિદ્ધાંત તેમણે સ્વીકાર્યો. સમાનતા, એકતા અને સમભાવ જેવા ઇસ્લામના પાયાના સિદ્ધાંતોને તેમણે અપનાવ્યા. ઇસ્લામના સૂફીજનો પ્રત્યે કબીરને ખાસ્સો અહોભાવ હતો. તેમની વિચારધારાથી તેઓ પ્રભાવિત હતા. પોતાની રચનાઓમાં કયાંક કયાંક સૂફી વિચારધારાને તેમણે સાકાર કરી છે.

‘જયોં તિલ મોહિ તેલ હૈં, જયોં ચકમક મેં આગિ, તેરા સાંઈ તુઝમે હૈં, જાગિ સકૈ તો જાગિ’

સુફી વિચારધારાના મૂળમાં ખુદા તારા અંદર છે. તારામાં જ છે. અલ મન્સુરે ‘અનલહક્ક’ (હું જ ખુદા છું) કહ્યું હતું. કબીર પણ ખુદાને-ઇશ્વરને માનવીની ભીરતમાં જ માને છે.

‘મૌકો કહાô ઢૂંઢો બંદો મૈં તો તેરે પાસ મેં

ના મૈં બકરી, ના મૈં ભેડી મેં છુરી ગંડાસા મેં

નહીં ખાલ મેં, નહીં પોંછ

મેં ના હડ્ડી ના માસ મેં

ના મૈં દેવલ,

ના મૈં મસજિદ,

ના કાબે કૈલાસ મેં

મેં તો રહૌ સહર કે બહાર,

મેરી પુરી મવાસ મેં

કહે કબીર સુનો ભાઈ સાધો,

સબ સાંસો કી સાંસ મેં ’

એક વાર કબીરને કોઈકે પૂછ્યું, ‘ઇશ્વર-ખુદા પાસે જવાનો માર્ગ કયો?’

કબીરે પલભરનો પણ વિચાર કર્યા વગર કહ્યું, ‘હું પ્રાણી છું અને ઇશ્વર-ખુદા મારો પ્રાણ છે. પછી માર્ગ શોધવાની જરૂર કયાં છે?’

મૃત્યુની સત્યતા અને પંચમહાભૂતોની વિલીનતાના સિદ્ધાંતોને કબીરની વાણી સાંપડે ત્યારે જે કમાલ થાય છે તે કેવી સરળ અને અસરકારક છે તે કબીરની આ બે લાઈનોમાં માણી શકાય છે.

‘માટી કહે કુંમ્હાર કો તું કયાં રૂંદે મોહિં, ઇક દિન ઐસા હોયગા મેં રૂદુંગી તોહિં’

દરેક ધર્મ-મજહબનો મૂળભૂત સિદ્ધાંત પ્રેમ છે. દરેક ધર્મગ્રંથના ઉપદેશનું કેન્દ્રબિંદુ પ્રેમ છે.

‘ચાહે ગીતા વાંચીએ યા પઢિયે કુરાન મેરા તેરા પ્યાર હી હર પુસ્તક કા જ્ઞાન’

આધુનિક યુગના આ વિચારને કબીરે ૧૫મી સદીમાં જયારે વાચા આપી ત્યારે તેમના શબ્દો હતા,

‘પોથી પઢ પઢ જગ મુવા, પંડિત ભયા ન કોય, ઢાઈ આખર પ્રેમ કા, પઢે સૌ પંડિત હોય’

ટૂંકમાં કબીર આઘ્યાત્મિક સમન્વયના સત્સંગની સર્વોત્તમ યુનિવર્સિટી હતા. શીખોના પાંચમા ધર્મગુરુ અર્જુનદેવે સંવત ૧૬૬૧માં તૈયાર કરેલ ‘ગુરુ ગ્રંથસાહેબ’ સંતસાહિત્યનો મોટો અને મહત્ત્વનો ગ્રંથ છે. તેમાં કબીરનાં લગભગ સવા બસ્સો પદ અને અઢીસો શ્લોક કે સાખીઓનું સંકલન થયું છે.

ગુજરાતમાં સંવત ૧૫૬૪માં કબીર આવ્યાનું મનાય છે. ગુજરાતમાં સુરતનું કબીર મંદિર જૂનામાં જૂનું કબીર સંપ્રદાયનું સ્થાન છે. સુરતની સગરામપુરાની જૂની સાલના પંજાઓ ઉપરથી સંવત ૧૭૬૫ મળે છે. પરંતુ સંપ્રદાયની સ્થાપના સંવત ૧૫૭૫ અને સંવત ૧૬૮૦ વરચે થયેલી જણાય છે. તેથી અનુમાન બાંધી શકાય કે ગુજરાતમાં સુરતની કબીર સંપ્રદાયની ગાદી પ્રથમ છે. એ પછીથી ભરૂચ, વડોદરા, ખંભાત, અમદાવાદ, નડિયાદ, મોરબી, જામનગર, રાજકોટ, જૂનાગઢ વગેરેની જગ્યાઓ બંધાઈ હશે.

જો કે કબીર ખુદ સંપ્રદાયના વિરોધી હતા. કબીરના દેહવિલય પછી તેમના પુત્ર કમાલને કોઈકે કહ્યું, ‘તમે કબીર સંપ્રદાય શરૂ કરો.’

ત્યારે તેણે જવાબ આપ્યો હતો, ‘મારા પિતા જીવનની છેલ્લી પળ સુધી સંપ્રદાયની વિરુદ્ધ હતા.’

કબીર એ પુરાણ અને કુરાનનું અદ્ભુત સમન્વય હતા. જેમની રચનાઓ આજે પણ આપણને સમન્વયની પરંપરાનો રાજમાર્ગ ચીંધતી જીવંત છે અને રહેશે.

Leave a comment

Filed under Uncategorized

Relation of Hazerat Imam Hussain with India

હજરત ઇમામ હુસેનના ભારત સાથેના સંબંધો

-ડૉ.મેહબૂબ દેસાઈ

ઇરાનના રાજાએ પોતાની મોટી પુત્રી મહરબાનોને મહારાજા ચંદ્રગુપ્ત સાથે પરણાવી હતી. ત્યારબાદ તેનું નામ ચંદ્રલેખા રાખવામાં આવ્યું હતું

કરબલાના મેદાનમાં મહોરમ માસમાં હજરત ઇમામ હુસેન યઝીદ સાથેના યુદ્ધ અને તેમની શહાદતને ભારતના કેટલાક ઇતિહાસકારો ભારતીય ઇતિહાસ અને એ સમયના શાસકો સાથે જોડી રહ્યાં છે. અલબત્ત તેની આધારભૂતતા તપાસવી જોઇએ.

આમ છતાં ભારતીય ઇતિહાસવિદ્ રાજકુમાર આસ્તાનાએ તેમના પુસ્તક ‘પ્રાચીન ભારત’ (પ્રકાશન ૧૯૩૬)માં હજરત હુસેન અને ભારતના સંબંધોનો ઉલ્લેખ કરતા લખ્યું છે, ‘ઇરાનના શહેનશાહ બરદન ઝરદની પુત્રી મહરબાનો, જેનું નામ ભારતમાં આવ્યા બાદ ચંદ્રલેખા થયું હતું, તે ઉજજૈનના મહારાજા ચંદ્રગુપ્ત મૌર્યનાં પત્ની હતાં. પોતાના ઇરાની વંશના આધારે હિજરી સન ૬૧માં ઇમામ હુસેને કરબલામાં યઝીદના સેનાપતિ ઉમર સઅદ સમક્ષ પોતે ભારત જવા ઉત્સુક હોવાનો વિચાર વ્યકત કર્યો હતો.’

ઇતિહાસવિદ્ અસ્તાના આગળ લખે છે, ‘એવી માહિતી પણ પ્રાપ્ત થાય છે કે કરબલાની લડાઇના પ્રસંગે ચંદ્રગુપ્તને પોતાના સેનાપતિ પંડિત ભૂરિયા દત્તના નૈતૃત્વમાં ૫૦૦ સૈનિકોનું લશ્કર ઇમામ હુસેનના રક્ષણાર્થે ભારતથી ઇરાક રવાના કર્યું હતું, પરંતુ જયારે લશ્કર ઇરાકના કુફા નગરમાં પહોંચ્યું ત્યારે એવી જાણ થઇ કે ઇમામ હુસેનને યઝીદે શહીદ કરી દીધા છે.

ઇમામ હુસેનનો લૂંટાયેલો કાફલો જયારે મદીના પહોંચ્યો ત્યારે ઇમામ હુસેનની શહાદતનો બદલો લેવા મુખ્તાર સફીક ઊભા થઇ ગયા. ભારતીય લશ્કરનો મોટો ભાગ તેમની સાથે જોડાઇ ગયો. બાકીના સૈનિકો ભારત પરત આવ્યા હતા.’

ઇતિહાસકાર અસ્તાનાના આ સંશોધન મુજબ ભારતીય લશ્કર હજરત હુસેનની મદદે સમયસર પહોંચી ગયું હોત તો માનવતાની એ લડાઇમાં ભારત-આરબ બંધુત્વનો એક નવો ઇતિહાસ રચાત.

હજરત ઇમામ હુસેન સાથેના હિન્દુ શાસકો સાથેના સંબંધોને ‘ઇસ્લાહુ’ નામના માસિકના મહોરમ વિશેષાંકમાં પણ સ્વીકારવામાં આવ્યા છે. એપ્રિલ-મે ૨૦૦૨માં લખનૌથી પ્રકાશિત થયેલ એ અંકના ૧૦૯માં પૃષ્ઠ પર લખ્યું છે, ‘ઇસ્લામના પ્રણેતા મહંમદ સાહેબના પરિવારના ભારત સાથેના સંબંધો હજરત અલીથી શરૂ થયા છે.

ત્યાર બાદ ઇમામ હુસેનનો ભારત સાથેનો સંબંધ એ રીતે થયો હતો કે ઇરાનના બાદશાહ બરદન ઝરદની ત્રણ પુત્રીઓ હતી. મોટી પુત્રીનું નામ મહરબાનો, બીજીનું નામ શહરબાનો અને ત્રીજીનું નામ કિસરાનબાનો હતું.

તે સમયે ભારતમાં મહારાજા ચંદ્રગુપ્તનું શાસન હતું. તેમની રાજધાની ઉજજૈન હતી. તેમના સેનાપતિનું નામ ભૂરિયા દત્ત હતું. ઇરાનના રાજાએ પોતાની મોટી પુત્રી મહરબાનોને મહારાજા ચંદ્રગુપ્ત સાથે પરણાવી હતી. મહરબાનો ઇરાની નામ છે. ‘મહર’નો અર્થ ચંદ્ર થાય છે.

એ મુજબ ભારતના ઇતિહાસમાં ચંદ્રમુખી તરીકે જાણીતી છે. ચંદ્રલેખાએ જ સમુદ્રગુપ્તને જન્મ આપ્યો હતો. ઇરાન પર જયારે આરબોએ આક્રમણ કર્યું, ત્યારે ઇરાનીઓ પરાજિત થયા. ઇરાની બાદશાહ માર્યા ગયા.

ત્યારે તેમની બંને પુત્રીઓને મદીનામાં આશ્રય આપવામાં આવ્યો હતો. તેમાંની શહરબાનો સાથે હજરત ઇમામ હુસેને નિકાહ કર્યા હતા. ઇમામ હુસેનના પુત્ર જૈનુલ આબિદ્દીનને તેમણે જ જન્મ આપ્યો હતો.’

આ ઐતિહાસિક બાબતો એ સૂચવે છે કે હજરત મહંમદ પગયગમ્બર (સ.અ.વ.) અને હજરત ઇમામ હુસેનના ભારત સાથેના સંબંધો ઘણા નિકટના હતા. એ દ્રષ્ટિએ હજરત ઇમામ હુસેન ભારત અને આરબ વચ્ચે બંધુત્વની એક અદભૂત કડી હતા.

Leave a comment

Filed under Uncategorized

Islam & Mahatma Gandhiji

એકેશ્વરવાદ અને બંધુત્વ ઇસ્લામની હિંદુસ્તાનને દેન છે : ગાંધીજી

ડો. મહેબૂબ દેસાઈ

૨ ઓકટોબર એટલે પૃથ્વી પર મોહનદાસ કરમચંદ ગાંધીનું આગમન. ‘મોહન’માંથી ‘મહાત્મા’ બનતા પૂર્વે ગાંધીજી અનેક સામાજિક-રાજકીય સમસ્યાઓ, સંઘર્ષો, યાતનાઓમાંથી પસાર થયા હતા. એ તમામનો ઉકેલ માત્ર સત્ય અને અહિંસાના માર્ગે જ તેમણે આપ્યો હતો. ગાંધીજી દરેક ધર્મના અભ્યાસુ હતા. ઇસ્લામ અંગે પણ તેમની ડી સમજ હતી. આજે ઇસ્લામ અંગે પ્રવર્તતી ગેરસમજૉનો ઉકેલ ગાંધીજીના ઇસ્લામ અંગેના વિચારોમાં દેખાય છે. ઇસ્લામને તેના કહેવાતા તજ્જ્ઞો જે રીતે સમજયા હતા, તેથી કદાચ વધુ હકારાત્મક ¼ષ્ટિએ ગાંધીજીએ પોતાના વિચારોમાં ઇસ્લામને વ્યકત કરેલ છે. આજે એ થોડા વિચારોનું આચમન કરવાનો ઉદ્દેશ છે.

‘હું ઇસ્લામને પણ ખિ્રસ્તી, બૌદ્ધ અને હિંદુ ધર્મની જેમ જ શાંતિનો ધર્મ સમજુ છું. પ્રમાણનો ભેદ છે એમાં શક નથી, પણ આ બધા ધર્મોનું લક્ષ્ય શાંતિ જ છે.’ નવજીવન, ૨૩-૧-૧૯૨૭ પૃ ૧૬૪

‘ઈશ્વર એક જ છે એવી નિર્ભેળ માન્યતા અને મુસલમાન નામથી જેઓ ઇસ્લામમાં છે તે સૌ માટે માણસ માત્ર ભાઈઓ છે એ સત્યનો વહેવારમાં અમલ એ બે વસ્તુઓ ઇસ્લામે હિંદની રાષ્ટ્રીય સંસ્કòતિમાં આપેલો અનોખો ફાળો છે. આ બે વસ્તુઓને મેં ઇસ્લામના અનોખા ફાળા લેખે ગણાવી છે. તેનું કારણ એ છે કે માણસમાત્રની બંધુતાની ભાવનાને હિંદુ ધર્મમાં વધારે પડતું તાત્ત્વિક સ્વરૂપ અપાઈ ગયું છે. તેવી જ રીતે હિંદુ ધર્મના તત્ત્વજ્ઞાનમાં ઈશ્વર સિવાય કોઈ દેવ નથી છતાં ઈશ્વર એક છે એ સત્યની બાબતમાં ઇસ્લામ જેટલો માન્યતામાં આગ્રહપૂર્વક અણનમ છે તેટલો વ્યવહારુ હિંદુ ધર્મ નથી એ બિના ના પાડી શકાય તેવી નથી.’ અક્ષરદેહ – ૪૦ પૃ. ૫૭

ઇસ્લામ તલવારના જૉરે પ્રચાર પામ્યો છે તેવી માન્યતા આજે પણ દૃઢ બનતી જાય છે. ગાંધીજી એ અંગે લખે છે.

‘ધર્મપરિવર્તન માટે બળ વાપરવાનું યોગ્ય ઠરાવે એવું કુરાનમાં કશું જ નથી. આ પવિત્રગ્રંથ તદ્દન સ્પષ્ટ શબ્દોમાં કહે છે. ‘ધર્મમાં કોઈ બળજબરી હોઈ શકે નહીં.’ પયગંબર સાહેબનું સમસ્ત જીવન ધર્મમાં બળજબરીના એક ઇનકાર જેવું છે. કોઈ પણ મુસલમાને બળજબરીને ટેકો આપ્યાનું મારી જાણમાં નથી. ઇસ્લામને જૉ તેના પ્રચાર માટે બળજબરી પર આધાર રાખવો પડતો હોય તો તે એક વિશ્વધર્મ ગણાતો મટી જશે.’ અક્ષરદેહ – ૨૧, પૃ. ૧૯૫-૧૯૬

ગાંધીજીએ વારંવાર સ્વીકાર્યું હતું કે તેમણે કુરાને શરીફનું અઘ્યયન કર્યું છે. કુરાને શરીફમાં અહિંસાના વિચારને પ્રાધાન્ય આપ્યાનું પણ તેમણે પોતાના લખાણોમાં સ્વીકારેલ છે ગાંધીજી લખે છે, ‘કુરાને શરીફ મેં એકથી વધુ વેળા વાંરયું છે. મારો ધર્મ આ દુનિયાના બધા મહાન ધર્મોમાં જે કંઈ સારું છે તે લેવાની અને પચાવવાની અનુકૂળતા આપે છે. બલકે તેમ કરવાની મારા પર ફરજ પાડે છે.’ હરિજનબંધુ ૨૯-૧૦-૧૯૩૯ પૃ.૨૭૧

‘હું ઇસ્લામને જરૂર એક ઇશ્વર પ્રેરિત ધર્મ માનું છું તેથી કુરાને શરીફને પણ ઇશ્વરપ્રેરિત માનું છું. તેમ જ મહંમદ સાહેબને એક પયંગબર માનું છું.’ હરિજનબંધુ, ૧૪-૭-૧૯૪૦, પૃ.૧૪૩

‘હું એવા અભિપ્રાય ઉપર આવ્યો છું કે કુરાને શરીફનો ઉપદેશ મૂળમાં જોતાં અહિંસાની તરફદારી કરનારો છે. એય કહ્યું છે કે અહિંસા એ હિંસા કરતાં બહેતર છે. અહિંસાનું આચરણ ફરજ સમજીને કરવાનો તેમાં આદેશ છે. હિંસાની માત્ર જરૂર તરીકે છૂટ મૂકી છે એટલું જ.’ હરિજનબંધુ, ૧૪-૭-૧૯૪૦, પૃ.૧૪૨

કેટલાક મુસ્લિમ મિત્રો મને સંભળાવે છે કે મુસલમાનો નિર્ભેળ અહિંસાને કદી સ્વીકારશે નહીં. તેમના કહેવા મુજબ મુસલમાનોને મન હિંસા એ અહિંસાના જેટલી જ ધમ્ર્ય તેમજ આવશ્યક છે. સંજૉગો અનુસાર બેમાંથી ગમે તે વડે કામ લેવાય. બેઉ માર્ગની ધમ્ર્યતા, પુરવાર કરવાને સારુ કુરાને શરીફનો ટેકો ટાંકવાની જરૂર નથી. એ માર્ગે તો દુનિયા અનાદિકાળથી ચાલતી આવેલી છે. વળી, દુનિયામાં નિર્ભેળ હિંસા જેવી કોઈ વસ્તુ નથી. લટું ઘણા મુસલમાન મિત્રો પાસેથી મેં સાંભળ્યું છે, કે કુરાને શરીફમાં અહિંસાના આચરણનો આદેશ છે. એમાં વેર કરતાં સબ્ર (સહનશીલતા)નેે શ્રેષ્ઠ ગણી છે. ખુદ ઇસ્લામ શબ્દનો જ અર્થ શાંતિ એટલે કે અહિંસા છે. હરિજનબંધુ ૮-૧૦-૧૯૩૯ પૃ.૨૪૬

‘ઇસ્લામ માનવજાતના બંધુત્વ અને એકતાને માટે ખડો છે. માનવવંશની એકતાને છિન્નભિન્ન કરી નાંખવાનો તેનો ઉપદેશ નથી. તેથી, જે લોકો હિંદુસ્તાનને ઘણું ખરું પરસ્પર લડતા ઝઘડતા સમૂહોમાં વહેંચી નાંખવા માગે છે. તે લોકો હિન્દુસ્તાનના તેમજ ઇસ્લામના વેરી છે.’ હરિજનબંધુ, ૧૩-૧૦-૧૯૪૬, પૃ. ૩૫૭

ગાંધીજીનું ઉપરોકત છેલ્લું વિધાન આજે ઇસ્લામના નામે જેહાદ કરી, ઇસ્લામને બદનામ કરનારાઓ તરફ આંગળી ચીંધે છે. શાંતિ, સમર્પણ, ત્યાગ, બલિદાન જેવા આદર્શોથી ભરપૂર એવા ઇસ્લામ અંગેના ગાંધીજીના વિચારો સાચે જ ઇસ્લામને ઓળખનાર સંત જેવા છે. ઇસ્લામનું આવું સાચું સ્વરૂપ આજે જુદાં જુદાં માઘ્યમો દ્વારા આમસમાજ સુધી મુકાશે તો, અત્યંત ગેરસમજૉથી ભરપૂર ઇસ્લામ અંગે થોડી પણ ગેરસમજો દૂર કરી શકાશે.

Leave a comment

Filed under Uncategorized

Islam & Swami Vivekananad

ઇસ્લામ અને સ્વામી વિવેકાનંદ

ડો. મહેબૂબ દેસાઈ

એક વાર સ્વામી વિવેકાનંદ જયપુરના મહારાજાના આગ્રહને વશ થઈ તેમની મહેફિલમાં ગયા. ત્યાં સૌ એક ગણિકાનું ગીત સાંભળવા એકઠા થયા હતા. સ્વામી વિવેકાનંદે ત્યાંથી નીકળી જવાનો પ્રયાસ કર્યો પણ સંભવ ન બન્યું, ગણિકાએ ગીત આરંભ્યું,

‘પ્રભુ મોહે અવગુણ ચિત ન ધરો,

સમદરસી હૈ નામ તિહારો ચાહે તો પાર કરો,

પ્રભુ મોહે અવગુણ ચિત ન ધરો’

તુલસીદાસનું આ ભજન અત્યંત ભાવથી ગણિકાએ ગાયું. ભજન પૂર્ણ થતા વિવેકાનંદ ગણિકા પાસે આવ્યા અને ક્ષમા માગતા કહ્યું, ‘મા, મારી ભૂલ થઈ ગઈ. હું અહીંથી જતો રહી તમારું અપમાન કરવાનો હતો, પરંતુ તમારા ભજને મારી ચેતનાને જગાડી દીધી છે.’ સ્વામી વિવેકાનંદની આવી આઘ્યાત્મિક સમાનતા-ઉદારતા કલકત્તાના બેલુરમઠમાં આજે પણ યથાવત્ છે. તેનો હું સાક્ષી છું. ૧૯૯૧ના ઓકટોબર માસમાં બેલુરમઠના ઘ્યાનખંડમાં જુમ્માની નમાજ અદા કરવાનો પ્રસંગ મારી સ્મૃતિમાં છે.

ઇસ્લામમાં સામાજિક, આર્થિક અને આઘ્યાત્મિક સમાનતા અને બંધુત્વનો સિદ્ધાંત પાયામાં છે. વિવેકાનંદજી એ સિદ્ધાંતના પ્રશંસક હતા. મહંમદ સાહેબ (સ.અ.વ)ના વ્યકિતત્વમાંથી નીતરતા એ સિદ્ધાંત અંગે વિવેકાનંદજી કહે છે,

‘પયગમ્બર સાહેબ, દુનિયામાં સમતા અને સમાનતાના પ્રખર સંદેશાવાહક હતા. તેઓ ભાતૃભાવના મહાન પ્રચારક હતા.’

ઇસ્લામના સમાનતા અને બંધુત્વના વિચારને સદૃષ્ટાંત સમજાવતા વિવેકાનંદ કહે છે, ‘તુર્કસ્તાનનો સુલતાન આફ્રિકાના બજારમાંથી એક હબસી ગુલામ ખરીદીને લાવે છે. તેને જંજીરોમાં બાંધી પોતાના દેશ લઈ જાય છે. પરંતુ જયારે એ ગુલામ ઇસ્લામનો અંગીકાર કરે છે ત્યારે એ ગુલામ સમાનતાનો અધિકાર પ્રાપ્ત કરે છે. તે તુર્કસ્તાનના સુલતાનની રાજકુમારી સાથે નિકાહ કરવાનો અધિકાર પણ મેળવે છે. ઇસ્લામની આ ઉદારતા અમેરિકાની હબસી, નિગ્રો અને રેડ ઇન્ડિયનોને ગુલામ બનાવવાની ધૃણાસ્પદ જાતિની તુલનામાં અત્યંત માનવીય છે.’

સાડા ચૌદસો વર્ષ પૂર્વે મહંમદ સાહેબે ઇસ્લામને પ્રજા સમક્ષ મૂકયો હતો. આજે પણ વિશ્વમાં તે અસ્તિત્વમાં છે. તેની પાછળનું રહસ્ય છતું કરતા વિવેકાનંદજી કહે છે, ‘મારી દૃષ્ટિ સમાનતાના મહાન સંદેશાવાહક મહંમદ સાહેબ તરફ વારંવાર જાય છે. કદાચ તમે પૂછશો કે તેમના ધર્મમાં સારું શું છે? પણ જો તેમાં સારું ન હોત તો એ આજદિન સુધી જીવંત કેવી રીતે રહ્યો? સત્ય જ ધર્મને ટકાવી રાખે છે. એ જ ધર્મ કાળના પ્રવાહમાં બચી શકે છે. જે કલ્યાણકારી છે.’

ઇસ્લામ ધર્મના શાસકો અને સૂફીસંતોની ઇસ્લામને ટકાવી રાખવાની મૂલ્યનિષ્ઠાને વ્યકત કરતા વિવેકાનંદ કહે છે, ‘ઇંગ્લેન્ડ પાસે હથિયારો છે. ભૌતિક સમૃદ્ધિ છે. જેમ મઘ્યકાલીન યુગમાં મુસ્લિમ શાસકો પાસે હતા. આમ છતાં અકબર વ્યવહારિક સ્વરૂપે હિંદુ હતો. શિક્ષિત મુસ્લિમો અને સૂફીઓને હિંદુઓથી અલગ કરવા મુશ્કેલ છે. અન્ય બાબતોમાં તેમની રહેણીકરણી હિંદુ જેવી છે. તેમના અને આપણા વિચારોમાં સાંસ્કòતિક સમન્વય સધાયો છે.’ ભારતના મઘ્યકાલીન યુગથી માંડીને અર્વાચીન યુગ સુધી હિંદુ અને મુસ્લિમ પ્રજા ભારતમાં મહોબ્બત અને એખલાસથી રહી છે.

આમ છતાં કયારેક બંને વરચે વિસંવાદિતતા પ્રસરાવવાના પ્રયાસો થયા છે. એ પ્રયાસોના મૂળને વ્યકત કરતા વિવેકાનંદ લખે છે, ‘વેદોની આઘ્યાત્મિક ઉદારતા ઇસ્લામમાં પણ છે. ભારતનો ઇસ્લામ ધર્મ અન્ય દેશોના ઇસ્લામ ધર્મ કરતાં વિશિષ્ટ છે. જયારે બીજા દેશોના મુસ્લિમો અહીંયા આવી ભારતીય મુસ્લિમોને ગેરમાર્ગે દોરે છે અને કહે છે, ‘તમે વિધર્મીઓ સાથે હળીમળીને કેવી રીતે રહો છો?’ અને ત્યારે ભારત તે અશિક્ષિત મુસ્લિમ કોમી વિસંવાદિતતામાં ફસાય છે.’ ઇસ્લામ અને હિંદુધર્મના સમન્વયને વ્યકત કરતા વિવેકાનંદ કહે છે, ‘આપણી માતૃભૂમિ માટે હિંદુત્વ અને ઇસ્લામ, બુદ્ધિ અને શરીર સમાન છે. બંનેનું સમન્વય એ જ આપણી આશા છે.’

Leave a comment

Filed under Uncategorized

Moon Walker Walked to Moon : Michel Jackson -Prof.Mehboob Desai

Friday, June 26, 2009
Moon Walker Walked to Moon : Michel Jackson -Prof.Mehboob Desai

Michel Jackson is no more. Unbelievable.but it is true.
Michel ruled the the heart of every common man. His journey Begin with black and end with white.Beacuse he is aman of experiment. Pop Music,Dance,Body and Life Style are the main area of his experiment.moon walker walked to Moon

Leave a comment

Filed under Uncategorized

Letter to Shahrukh Khan from Prof. Mehboob Desai

प्रिय शाहरुख़ खान,
अस्स्लामुअल्याका.

कई दिनो से आपको ख़त लिखने का विचार दिल मे लिए फिर रहा था. लेकिन हर बार यही सोच कर कलम रख देता था की आप शायद मेरे जैसे प्रोफेसर को जवाब देने का वक्त निकाल न सके. आज फिर से कलम ने लिखेनेका तकाजा किया. इसलिए दिल को यह कहकर मनाया की आप जवाब दे या न दे, वो आपका काम है. अपनी बात आपसे करनी चाहिए.

इस पत्र के साथ मेरी एक ताज़ा किताब ” इस्लाम एंड नॉन वायोलेंस” (इस्लाम और अहिंसा) भेज रहा हुं. आज दुनिया भर मैं इस्लाम को आतंकवाद से जोड़कर बदनाम किया जा रहा है. इस किताबमै मे ने उस बात का “कुरान-इ-शरीफ ” की आयते , मोहम्मद पयगम्बर साहब और औल्याओ की जीवनकथोओ द्वारा खंडन किया है.

आशा है आपको किताब पसंद आएगी. अगर आपको किताब जरा भी पसंद आये , तो ज़रुर आपकी राई भेजने की जेहमत करे. आपकी राई मेरे लिए अमूल्य होगी. एक और गुज़ारिश है मूजेतो फ़िल्मी दुनिया से कम लगाव है , लेकिन मेरी बेटी करिश्मा जो ऍम बी ऐ कर रही है वो आपकी बड़ी फेन है. ख़त मैं आप एक लाइन उसके बारे मैं भी लिख देंगे तो मैं बड़ा शुक्रगुज़ार रहूँ गा.

आशा है आप जवाब देने की जेहमत लेंगे.

अल्लाह हाफ़िज़

आपका

प्रोफेसर महेबूब देसाई

Leave a comment

Filed under Uncategorized

માનવ મૂલ્યોના રક્ષક મહંમદ પયગમ્બરસાહેબ. ડો. મહેબૂબ દેસાઈ

માનવ મૂલ્યોના રક્ષક મહંમદ પયગમ્બરસાહેબ

ડો. મહેબૂબ દેસાઈ

વીસેક વર્ષ પહેલાં રમઝાન માસ દરમિયાન લખાયેલ મારી કોલમ ‘શરચે ફરોઝાં’માં લખેલ હજરત મહંમદ પયગમ્બર (સ.ચ.વ)ના જીવન પ્રસંગોનો સંગ્રહ ‘અલખને ઓટલે’ ના નામે એક જૈનબંધુએ પુન: પ્રકાશિત કર્યોત્યારે ગેરમુસ્લિમ સમાજ ઉપર પણ મહંમદસાહેબના પ્રભાવશાળી વ્યકિતત્વની થતી અસર મેં અનુભવી. એ સંગ્રહમાં આલેખાયેલા મહંમદસાહેબના કેટલાક જીવન પ્રસંગો ‘ઇદ-એ-મિલાદ’ અર્થાત્ મહંમદસાહેબના જન્મદિન પ્રસંગે વાગોળવાનું આકર્ષણ રોકી શકતો નથી.

એક વખત હજરત મહંમદ પયગમ્બર (સ.ચ.વ)ને તેમના એક અનુયાયીએ પૂછ્યું, ‘મારા સારા ઉછેર અને સંસ્કાર માટે કોને જવાબદાર ગણી શકાય?’

મહંમદસાહેબે કહ્યું, ‘તારી માતાને.’

એ વ્યકિતએ પૂછ્યું,‘માતા પછી કોણ?’

‘તારી માતા’ ફરી એ જ જવાબ મળ્યો.

‘એ પછી કોણ?’

મહંમદસાહેબે ફરમાવ્યું, ‘એ પછી તારા પિતા.’

એક સહાબીએ મહંમદસાહેબને પૂછ્યું, ‘ઔલાદ પર મા બાપના શા હક્કો છે?’

આપે ફરમાવ્યું, ‘ઔલાદની જન્નત (સ્વર્ગ) અને દોઝક (નર્ક ) માબાપ છે.’

અર્થાત્ મા બાપની સેવાથી જન્નત મળે છે અને તેમની સાથેની નાફરમાની અને ગેરવર્તણૂકથી દોઝક મળે છે.

એક વાર મહંમદસાહેબ મુઆવઝની દીકરીની શાદીમાં ગયા. તેમને જૉઇને બાળાઓ હજરત મહંમદ (સ.ચ.વ)ની આસપાસ ગોઠવાઇ ગઇ અને શહીદોની પ્રશંસા કરતાં ગીતો ગાવા લાગી. એક બાળાએ એ ગીતમાં એક કડી ઉમેરી, ‘ફીના નબીય્યુન યાસઅલમુ માફીગદા’ અર્થાત્ ‘અમારી વરચે એક નબી છે, જે કાલની વાત જાણે છે.’

મહંમદસાહેબ પોતાનાં વખાણ કે પ્રશંશા કયારેય સાંભળતા નહીં, એટલે તેમણે તરત ગીત ગાતી બાળાઓને રોકીને કહ્યું, ‘જે ગાતા હતા તે જ ગાઓ. આવી વાત ન કરો.’

હજરત મહંમદસાહેબ ન્યાય, ઇન્સાફના ખૂબ આગ્રહી હતા. એક વખત મખઝૂમ કબિલાની એક સ્ત્રીએ ચોરી કરી. ઇન્સાફ માટે ફરિયાદી રસૂલેપાક પાસે આવ્યો. ઔસામા બિનઝેદી પ્રત્યે રસૂલેપાકને ખૂબ માન, આથી તે ચોરી કરનાર સ્ત્રી ઔસામા બિનઝેદીને લઇને મહંમદસાહેબ પાસે આવી. ઔસામ બિનઝેદીને જૉઇને મહંમદસાહેબ બોલી ઠયા, ‘ઔસામા, શું તમે ન્યાયની વરચે પડવા આવ્યા છો?’

રસૂલેપાકનો પ્રશ્ન સાંભળી ઔસામાની નજર શરમથી ઢળી ગઇ. મહંમદસાહેબે સાથીઓને સંબોધન કરતા કહ્યું, ‘તમારી પહેલાંની પ્રજા પૃથ્વી પરથી ભૂંસાઇ ગઇ છે, કારણ કે તેમણે ગરીબો, મઝલુમો પ્રત્યે ઇન્સાફ કર્યોન હતો. ખુદાના કસમ જૉ ફાતિમાએ (રસૂલેપાકની પ્રિય પુત્રી) ગુનો કર્યોહોય તો એને પણ સજા કરું.’

મહંમદસાહેબને અવારનવાર સોનું-ચાંદી અને કમિંતી ચીજવસ્તુઓની ભેટો મળતી રહેતી, પણ પોતાની કુટીરમાં તે વસ્તુઓ એક રાત પણ તેઓ રાખતા નહીં. વસ્તુઓ જેવી આવે કે તરત તેને જરૂરતમંદોમાં તકસીમ (વહેંચી) કરી દેતા. એક રાત્રે તેમને બેચેની જેવું લાગવા માંડયું. કંઇ ચેન ન પડે. અંતે તેમણે પત્ની આયશાને પૂછ્યું, ‘આપણી છત નીચે પૈસા કે કંઇ સોનું-ચાંદી નથી ને?’આયશાને યાદ આવી જતાં બોલી ઠયાં, ‘અબ્બા (અબુબક્ર) ગરીબો માટે થોડા પૈસા આપી ગયા છે. તે પડયા છે.’

રસૂલેપાક (સ.ચ.વ)એ ફરમાવ્યું, ‘અત્યારે ને અત્યારે તે પૈસા હાજતમંદોમાં વહેંચાવી દે. તને ખબર નથી, પ્રેષિતોની છત નીચે ધન ન હોય.’

લડાઇના દિવસો ચાલતા હતા. યુવાનો મોટા પ્રમાણમાં લડાઇમાં જૉડાઇ રહ્યા હતા. એ દિવસોમાં કોઇકે મહંમદસાહેબને કહ્યું, ‘હે પયગમ્બર, હું અલ્લાહને વાસ્તે લડાઇમાં જવા ઇરછું છું.’

મહંમદસાહેબે તેને પૂછ્યું, ‘તારી મા જીવે છે?’

પેલા યુવાને કહ્યું, ‘હા.’

મહંમદસાહેબે ફરી પૂછ્યું, ‘શું કોઇ બીજું તેનું પાલનપોષણ કરનાર છે?’

યુવાને જવાબ આપ્યો, ‘ના.’

મહંમદસાહેબે કહ્યું, ‘તો જા, તારી માની સેવા કર કારણ કે તેના પગોમાં જન્નત છે.’

મુસાફરીમાં એક વાર સાથીઓ સાથે હજરત મહંમદ પયગમ્બરસાહેબ પગપાળા જઇ રહ્યા હતા. ભોજનનો સમય થતા કાફલો એક જગ્યાએ રોકાયો. રાંધવા માટે સૌએ કામની વહેંચણી કરી લીધી. પયગમ્બરસાહેબે બળતણ ભેગું કરવાનું પોતાના માથે લીધું. સાથીઓએ કહ્યું, ‘આપ એ તકલીફ ન લો. એ કામ અમે કરી લઇશું.’

મહંમદસાહેબે બોલ્યા, ‘પણ હું મારી જાતને તમારા કરતાં ચી રાખવા નથી માગતો. જે પોતાને પોતાના સાથીઓ કરતાં ઉરચ ગણે છે તેને ખુદા નથી ચાહતા.’

હજરત મહંમદ પયગમ્બરસાહેબની ઉંમર ૬૩ વર્ષની થવા આવી હતી. તેઓ બીમાર રહેતા હતા. તાવને કારણે અશકિત પણ ઘણી લાગતી હતી. આમ છતાં પોતાના બંને પિતરાઇઓ અલી અને ફજલનો ટેકો લઇ તેઓ નિયમિત સાથીઓને મળવા મસ્જિદમાં આવતા, નમાજ પડતા, તે દિવસે પણ નમાજ પછી તેમણે સાથીઓને કહ્યું, ‘મારા સાથીઓ, તમારામાંથી કોઇને મેં નુકસાન કર્યું હોય તો તેનો જવાબ આપવા અત્યારે હું મોજૂદ છું. જૉ તમારામાંથી કોઇનું મારી પાસે કશું લેણું હોય તો જે કંઇ આજે મારી પાસે છે તે બધું તમારું છે.’

એક સાથીએ યાદ અપાવ્યું, ‘મેં આપના કહેવાથી એક ગરીબ માણસને ત્રણ દિરહમ આપ્યા હતા.’

મહંમદસાહેબે તેને તે જ ક્ષણે ત્રણ દિરહમ આપી દીધા અને કહ્યું, ‘આપણી લેણદેણ માટે આ જગતમાં શરમાવું સારું છે. જેથી ખુદાને ત્યાં કષ્ટ સહન કરવું ન પડે.’ ખુદાના આવા પાક-પ્યારા પયગમ્બરની વફાત મુસ્લિમ ચાંદ ૧૨ રબ્બીઉલ અવ્વલ, ૧૧ હિજરી ૮ જૂન ઇ.સ. ૬૩૨ના રોજ થઇ, પણ નોંધપાત્ર બાબત એ છે કે મહંમદસાહેબનો જન્મ અને વફાત ૧૨ રબ્વીઉલ અવ્વલ અર્થાત્ એક જ મુસ્મિલ તારીખે થયાં હતાં.

Leave a comment

Filed under Uncategorized

ખેર સરીખી ઔર ન દુજી વસત હૈ: વાજિદ. ડો. મહેબૂબ દેસાઈ

ખેર સરીખી ઔર ન દુજી વસત હૈ: વાજિદ

ડો. મહેબૂબ દેસાઈ
સૂફીસંતોના જીવન પરિવર્તનના કિસ્સાઓ અનેરા છે. જાણીતા સૂફીસંત વાજિદના જીવનમાં હરણની મુકત છલાંગે પરિવર્તન આણ્યું હતું. એક વાર યુવા વાજિદ જંગલમાં શિકાર કરવા ગયા. પઠાણકુળમાં જન્મેલ વાજિદને શિકારનો જબરો શોખ હતો. જંગલમાં શિકારની શોધ કરતા કરતા તે જંગલમાં ઘણા દૂર નીકળી ગયા ત્યારે જ તેમની નજર મુકતમને વિહાર કરતા એક હરણ પર પડી. કમાન પર તીર ચડાવી તેમણે નિશાન બાંઘ્યું પણ કમાનમાંથી તીર છૂટે એ પહેલાં જ પેલું હરણ ભાવિના એંધાણ પારખી જઇ છલાંગ મારી ભાગ્યું અને વાજિદ મુકતમને ભાગતા એ હરણને અવાચક બની જૉઇ રહ્યા. બસ એ જ પળે તેમણે તીર-કમાન તોડી નાખ્યાં અને હરણ જેવી મુકિતનો આનંદ પ્રાપ્ત કરવા નીકળી પડયા.

મુકિતનો અહેસાસ હરણની છલાંગમાંથી વાજિદને થયો પણ તેની પ્રાપ્તિ હજુ બાકી હતી. એ પ્રાપ્તિ માટે તેમણે અનેક સંતો સાથે સત્સંગ કર્યો. પણ કોઇનાથી તેઓ પ્રભાવિત ન થયા. એક દિવસ એ શોધ દાદુ દયાળની ઝૂંપડીમાં આવી અટકી. એ દિવસે મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો. દાદુ દયાળ કુટીરમાં ઘ્યાન મગ્ન હતા. પ્રથમ નજરે જ વાજિદ દાદુના પગમાં પડી ગયા અને સવિનય કહ્યું,

‘મને શિષ્ય બનાવશો તો જ કદમ છોડીશ.’

ઘ્યાનમગ્ન દાદુ દયાળે ચરણસ્પર્શ થતા આંખો ખોલી અને ચરણોમાં પડેલા વાજિદ પર નજર કરી અને ફરમાવ્યું,

‘અહંકાર ત્યાગીને પગોમાં પડનાર યુવાન, ઠ, જાગ અને મુકિતની શોધમાં લાગી જા.’

એ જ દિવસથી ગુરુ દાદુ દયાળના શિષ્ય વાજિદે ધર્મના વાડાઓ ત્યજી ખુદા-ઇશ્વરની શોધ આરંભી. જન્મે પાકા પઠાણ મુસ્લિમ હોવા છતાં વાજિદ ઇબાદતમાં સર્વધર્મ સમભાવને સાકાર કર્યો છે. તેમની રચનાઓમાં તે વારંવાર જૉવા મળે છે. વાજિદની એ વિશિષ્ટતાને પોતાના શબ્દોમાં સાકાર કરતા રાધોદાસે લખ્યું છે,

‘છાંડિકે પઠાણ કુલ રામનામ કિન્હો પાઠ, ભજન પ્રતાપ સું વાજિદ વાણી જિત્યો હૈ.’

પઠાણકુળ જેવા વાડાઓ ત્યાગી રામનામનો જાપ કરનાર વાજિદ જિંદગીથી મુકિત પામ્યો છે.’ વાજિદની રચનાઓમાં શબ્દોની સાદગી અને વિચારોની ઉરચતા જૉવા મળે છે. તાજી વર્ષા પછી માટીમાંથી ઉત્પન્ન થતી સુગંધ જેવી મીઠાશ વાજિદની રચનાઓની વિશિષ્ટતા છે. તેમાં છંદનો હિસાબ નથી. અલંકારોનો દેખાડો નથી. જયારે સૌંદર્ય પૂર્ણ હોય ત્યારે શòંગાર કે આભૂષણની જરૂર નથી હોતી, એમ જ વાજિદની રચનાઓમાં સૌંદર્ય નિતરે છે.

‘ખેર સરીખી ઔર ન દુજી વસત હૈ, મેલ્હે વાસણ માંહિ કહાં મુહં કસત હૈ.

તૂ જિન જાને જાય રહેગા ઠામ રે, માયા દે વાજિદ ધની કે કામ રે.’

અર્થાત્ ખેરાત (દાન)જેવી કોઇ ઉત્તમ વસ્તુ નથી. ખેરાત આપતા સમયે વાસણનું મોં બંધ ન રાખ. તું જે ધનને પકડી રાખીશ તે તારી પાસે રહેવાનું નથી એટલે ધનનો ઉપયોગ ધનીખુદાના માર્ગે કરતો રહે.

‘મંગલ આવત દેખ મુદું ગોય રે, જધપિ હઁ બહુ દામ કામ નહીં લોય રે,

ભૂખે ભોજન દિયો ન નાગા કાપરા, બિન દિયા વાજિબ પાવે કહાઁ વાપરા?’

તારી પાસે ખુદા-ઇશ્વરે આપેલું ઘણું છે, છતાં ફકીરને જૉઇને તું મોં ફેરવી લે છે. ભૂખ્યાને ભોજન અને નગ્નને કપડાં નથી આપતો. તું ફકીરોને- ગરીબોને આપીશ નહીં તો ખુદા પાસેથી પામીશ કેવી રીતે? વાજિદ આ જ વિચારને આગળ ધપાવતા લખે છે,

‘ભૂખો દુર્બલ દેખી નાહિં મુંહ મોડિએ, જૉ હરી સારી દેય તો આવી તોડિએ,

દે આધી કી આધ અરધ કી કોર રે, અન્ય સરીખા પુણ્ય નાહિં કોઇ ઔર રે.’

ભૂખ્યાં-દુર્બળને જૉઇને કયારેય મોં ન ફેરવીશ. ઇશ્વરે તને એક રોટી આપી છે તો તેમાંથી અડધી તેને આપ, જૉ તને અડધી આપી છે તો અડધીની અડધી તું તેને આપ. અન્નદાન જેવું પુણ્ય દુનિયામાં એક પણ નથી. અહંકારને ઓગાળી નાખવાનો મહિમા અનેરો છે. વાજિદ તેને પોતાની વાણીમાં રજૂ કરતા કહે છે,

‘ટેઢી પગડી બાંધ ઝરોખા ઝાંકતે, તાતા તુરગ પિલાણ ચહુંટે હાંકતો,

લારે ચઢતી ફોજ નગારા બાજતે, વાજિદ, યે નર ગયે વિલાય સિંહ જવું ગાજતે.’

અહંકારથી વાંકી પાઘડી બાંધી તેજતરાર ઘોડા પર જે લોકો ચારેબાજુ ટહેલે છે. તેમની આગળ પાછળ ફોજ છે. એવા સિંહની ગર્જના કરતા અનેક લોકો કાળની ગર્તતામાં કયારનાય ભસ્મ થઇ ગયા છે. સંત વાજિદની આવી રચનાઓ જીવનનાં રહસ્યોને વ્યકત કરે છે.અલબત્ત વાજિદના જન્મ-વફાતની તવારીખ મળતી નથી પણ એ તવારીખ કરતાં તેમના વિચારોની અસરકારકતાએ આજે પણ તેમને જીવંત રાખ્યા છે અને રાખશે.

Leave a comment

Filed under Uncategorized