Monthly Archives: March 2024

પુસ્તક દિનની સાર્થક ઉજવણી : ડૉ. મહેબૂબદેસાઇ

૨૩ મી એપ્રિલે વિશ્વભરમાં ૧૦૦ કરતાં પણ વધુ દેશોમાં વિશ્વ પુસ્તક દિવસ તરીકે ઉજવાઈ છે. મહાન નાટયકાર અને પ્રખર સાહિત્ય સર્જક વિલિયમ શેક્સપિયર અને લેખર ઈન્કા ગાર્સીલાસો ડે લા વેગા જેવા અન્ય લેખકોનું ૨૩  એપ્રિલના જ દિવસે અવસાન થયું હોવાથી ૧૯૯૫માં યુનેસ્કોએ ૨૩ એપ્રિલની તારીખે વિશ્વભરમાં વિશ્વ પુસ્તક અને કોપીરાઈટ દિવસ ઉજવવાનું જાહેર કર્યું હતું. શેક્સપીયરના યોગદાનને જોતા ભારત સરકારે પણ ૨૦૦૧માં આ દિવસને વિશ્વ પુસ્તક દિવસની માન્યતા આપી હતી. આ દિવસ ઉજવવાનો હેતુ માનવજાતના સામાજીક અને સાંસ્કૃતિક વિકાસમાં લેખકોએ આપેલા યોગદાન પ્રત્યે નવી પેઢીને  જાગૃતિ કરવાનો છે. લોકો અને પુસ્તકો વચ્ચેના અંતરને દૂર કરી, લોકોના પુસ્તકો પ્રત્યેનો લગાવને જીવંત રાખવાનો છે.

૨૩ એપ્રિલ ૧૯૯૫ના રોજ  પ્રથમ વખત યુનાઇટેડ કિંગડમમાં તેની ઉજવણીનો આરંભ લંડનના ગ્લોબ થિયેટરમાં વડાપ્રધાન ટોની બ્લેર દ્વારા કરવામાં આવ્યો હતો. પુસ્તક દિન નિમિત્તે દર વર્ષે વિશ્વમાં પુસ્તક ટોકન રૂપે મેળવતા બાળકોની સંખ્યામાં વધારો થતો ગયો  છે. દિવસે પુસ્તકો ખરીદવા માટે વિદ્યાર્થીઓને ખાસ વાઉચર આપવામાં આવે છે. ઉપરાંત પુક્ત વયના લોકોની પુસ્તક વાંચનની રૂચીને જીવંત રાખવા પુસ્તક ક્વિજ, ક્વીક રીડ (વાંચન શિબિરો), પુસ્તક રિવ્યુ જેવા કાર્યક્રમોનું પણ વિશ્વમાં આયોજન કરવામાં આવે છે. પરિણામે ૨૦૦૭માં વર્લ્ડ બુક ડેની 10મી વર્ષગાંઠની ઉજવણી સમયે દસ લાખ પુસ્તકોનું પ્રકાશન વિશ્વમાં થયું હતું. આ ઉપરાંત પુસ્તક દિન ની ઉજવણીના ભાગ રૂપે 2.99 યુરોની કિંમતની ઑડિયો વિના મૂલ્યે વિદ્યાર્થીઓને આપવાનો આરંભ થયો છે. જેથી પ્રસાર માધ્યમોના વિકાસ સાથે કદમ મિલાવી પુસ્તક વાંચનની વિરાસતને જીવંત રાખી શકાય.

ભારતમાં પણ આપણે પણ પુસ્તક દિન ની ઉજવણી કરીએ છીએ. જો કે પુસ્તકોની દુનિયાને વિકસતા પ્રસાર મધ્યમોને કારણે જરૂર અસર થઈ છે. મારા પુસ્તકોના જાણીતા પ્રકાશક સાથે હાલમાં જ થયેલા સંવાદો જાણવા અને સમજવા જેવી છે. તેમણે કહ્યું,

દેસાઇ સાહેબ, એક સમયે અમે મોટા ગજાના લેખકોના પુસ્તકોની પાંચ હજાર જેટલી નકલો છાપતાં હતા. અને તે વેચાઈ પણ જતી હતી. પણ આજે અમે કોઈ પણ લેખકના પુસ્તકની ત્રણસો કે વધુમાં વધુ પાંચસો નકલો છાપવાની હિંમત કરીએ છીએ.”

મે પૂછ્યું, એવું શા માટે છે ?

તેમણે કહ્યું,

એક સમયે શાળા, કોલેજો, ખાનગી સરકારી ગ્રંથાલયોમાં પુસ્તકોની ખરીદી સારા પ્રમાણમાં થતી હતી. પણ આજે સ્થગિત થઈ ગઈ છે. પરિણામે પ્રકાશકો  પુસ્તકના પ્રકાશનમાં રસ દાખવતા નથી. સિવાઈ આપણાં વિકસિત પ્રસાર માધ્યમો જેવા કે ટીવી, મોબાઈલ, વૉટશોપ, ઇન્સટાગ્રામ, ટેલિગ્રામ, ફેસબુક અને તેને પ્રાણ પૂરતા ઈન્ટરનેટનો ફાળો મહત્વનો છે. જો કે દરેક વિકસતા સાધનોના ફાયદા ગેરફાયદા બંને હોય છે. પણ યુવા વર્ગ જે રીતે તેના ઉપયોગમાં સમય અને શક્તિનો ભોગ આપી રહ્યો છે, તે સાચ્ચે ચિંતા જનક છે.”

આ કોઈ એક વ્યક્તિ કે પ્રકાશકની વ્યથા નથી પણ બદલાતા જતાં સમયમાં વિશ્વભરની સમસ્યા છે.

એક સમયે અધ્યાપકો, શિક્ષકો, સંશોધકો કે વાંચક વિચારકોને નાનામાં નાની માહિતી મેળવવા ગ્રંથાલયમાં પુસ્તકોનો સહારો લેવો પડતો. પણ આજે ઈન્ટરનેટ કે ગૂગલ દ્વારા માહિતીનો વિસ્ફોટ થયો છે. ગમે તેવી માહિતી આંગળીના ટેરવે અલ્પ સમયમાં ઉપલબ્ધ થઈ જાય છે. પરિણામે માહિતીના સ્રોત તરીકે પુસ્તકોનું મૂલ્ય ઘટ્યું છે. પણ માહિતી અને જ્ઞાન વચ્ચે આછી ભેદ રેખા છે. તે સમજવા જેવી છે. માહિતી વિષય વસ્તુ કે ઘટનાનો માત્ર શાબ્દિક કે આંકડાકીય ચિતાર આપે છે. તેનું અર્થઘટન, વિશ્લેષણ કે તેની પાછળના કારણો પરિણામે તપાસવાનું કાર્ય નથી કરતી. એટલે જ આજના ડિજીટલ યુગમાં પણ પુસ્તકોનું મહત્વ વિશ્વમાં ઓછું થયું નથી. સમજણ, સહનશીલતા અને સંવાદ માટે સામાજિક જાગૃતિનું કામ પુસ્તકો જ કરે છે. પુસ્તકોની મૈત્રી માનવીના જીવનઘડતર પર નિર્ણાયક પ્રભાવ પાડે છે. વર્તમાન યુગ એ જ્ઞાન અને માહિતીનો યુગ છે. જ્ઞાનના ફેલાવા માટે જો કોઈ સૌથી વધુ શક્તિશાળી માધ્યમ હોય તો તે પુસ્તકો છે. આજના ઇન્ફર્મેશન યુગમાં પણ પુસ્તકોનું મહત્વ ઓછું થયું નથી. પુસ્તકો જ આ વિશ્વને પ્રેરણા આપી શકે છે. સમજણ, સહનશીલતા અને સંવાદ માટે સામાજિક જાગૃતિનું કામ પુસ્તકો જ કરે છે. પુસ્તકોની મૈત્રી માનવીના જીવનઘડતર પર નિર્ણાયક પ્રભાવ પાડે છે.

ટૂંકમાં, વિદેશોમાં પુસ્તક દિનની ઉજવણી એક સેવાકીય કાર્ય તરીકે અત્યંત ગંભીરતાથી થાય છે. પરિણામે આજે પણ વિદેશોમાં પુસ્તકો બહોળી માત્રમાં છપાય છે અને વંચાય પણ છે. આપણે પણ પુસ્તક દિનની ઉજવણી દ્રષ્ટિ કરવાનો આરંભ કરીશું, તો અવશ્ય પુસ્તક અને વાચકો પ્રત્યે ઊભી થઈ રહેલી દિવારને દૂર કરી શકીશું. આશા છે આપણે તરફ  કદમો માંડી પુસ્તક દિનની સાર્થક ઉજવણી કરીએ : અસ્તુ

Leave a comment

Filed under Uncategorized

ઇસ્લામઅનેઅપરિગ્રહ : ડૉ. મહેબૂબદેસાઈ

ગાંધીજી એ જીવનમાં પાળવાનાં અગિયાર વ્રત સ્વીકાર્યા હતા. સત્ય, બ્રહ્નચર્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ, આસ્વાદ, અભય, અસ્પૃશ્યતા નિવારણ, જાત મહેનત, સર્વધર્મસમભાવ, સ્વદેશી વ્રત. ગાંધીજીનાં અગિયાર વ્રતોમાંનું એક વ્રત અપરિગ્રહ હતું. આ વ્રતનો સીધોસાદો અર્થ થાય કે કોઇપણ વસ્તુનો સંગ્રહ કરવો નહીં. જો કે ગાંધીજીનું આ વ્રત માત્ર  ધન-સંપત્તિમાં જ સમાઇ જતું નથી. તેમના જીવનનાં દરેક ક્ષેત્રમાં આ વ્રતની આણ વર્તાતી હતી.

જૈન ધર્મમાં અપરિગ્રહ  રાજયોગ કે અષ્ટાંગ યોગ દર્શનનો એક ભાગ છે. આ  સંકલ્પનાનો અર્થ એવો છે કે અનુગામીએ પોતાના માટે આવશ્યક સિવાયની વસ્તુઓનો સંચય ન કરવો, સંગ્રહ ન કરવો જોઈએ. જૈન ધર્મના મૂળ પાંચ સિદ્ધાંતોમાં અહિંસાઅસ્તેયબ્રહ્મચર્ય અને સત્ય. આ પાંચ અણુવ્રતોમાં અપરિગહનો  પણ સમાવેશ થાય છે.

ઇસ્લામના એક મોટા સૂફી સંતની હજરત શાહશુજા કિરામની ની એક જાણીતી કથા જાણવા અને માણવા જેવી છે. તેઓ રાજ કુટુંબમાં જન્મ્યા હોવા છતા અત્યંત વૈરાગી અને જ્ઞાની હતા. તેમણે પોતાની અંત્યંત સુંદર પુત્રીના નિકાહ એક ગરીબ અને ઈમાનની દૌલતથી માલામાલ યુવાન સાથે કર્યા.

નિકાહ પછી તે યુવાન સંત કિરામની ની પુત્રીને લઈ પોતાની નાનકડી કુટીરમાં આવ્યો. કુટીરના એક ખૂણામાં પાણીના કુંજા પાસે રોટલીનો સુકાઈ ગયેલો એક ટુકડો પડ્યો હતો. અમીર પિતાની પુત્રીએ એ જોઈ પતિને પૂછ્યું,

“સુકાઈ ગયેલો રોટલીનો ટુકડો અહિયાં કેમ મૂકી રાખ્યો છે. ?”

“આજે રાત્રે ખાવા કામ લાગશે એમ માની ગઈ કાલથી રાખી મૂક્યો છે.”

આ સાંભળી હજરત શહેસુજા  કિરમાની (ર. અ.)ની પુત્રીએ ગરીબ પતિનું ઘર

છોડી પિતાના ઘર તરફ કદમો માંડ્યા. ગરીબ પતિ આ જોઈ બોલી ઊઠયો,

“મને ખબર જ હતી કે હજરત શહેશુજા જેવા ધનાઢ્યની પુત્રી મારા જેવા

ગરીબને ત્યાં નહીં રહી શકે.”

આ સાંભળી પત્નીએ નમ્રતાથી કહ્યું,

“તમારી ગરીબાઈને હું સર આંખો પર ચઢાવું  છું. પણ આવતી કાલની

ચિંતામાં અપરિગ્રહ કરનાર ઇન્સાનને ખુદા અને પોતાની જાત પર વિશ્વાસ

નથી. એવા ઈમાન વિહોણા માનવી સાથે હું કેમ રહી શકું ?”

પોતાની જરૂરિયાતથી વધુ કે અનાવશ્યક કયારેય ન રાખવાની મહંમદ સાહેબની

આદત અને ઇસ્લામનો આદેશ બને અપરિગ્રહના સંદર્ભમાં જાણવા જેવા છે.

ઇસ્લામના પાયાના પાંચ સ્તંભો ઈમાન (શ્રદ્ધા), નમાજ (ઈબાદત-ભક્તિ), રોજા (ઉપવાસ), જકાત (દાન) અને હજ (ધાર્મિક યાત્રા)માં ભરપૂર માનવ મૂલ્યો પડ્યાં છે. આમા જકાત અર્થાત દાનમાં અપરિગ્રહનો સિધ્ધાંત સમાયેલો છે. ઇસ્લામી કાનૂન મુજબ દરેક મુસ્લિમે પોતાની કુલ સ્થાવર જંગમ મિલકતના અઢી ટકા રકમ ફરજિયાત દાનમાં આપવી જોઈએ. ફરજિયાત દાન એટલે તમારી જરૂરિયાત કરતાં તમારી પાસે જે વધારે ધન છે તે ગરીબ કે જરૂરતમંદોમાં વહેચી દેવું. કુરાને શરીફમાં આ અંગે કહેવામાં આવ્યું છે,

“એ પૂછે છે અમે અલ્લાહની રાહમાં શુ ખર્ચીએ ?”

“કહો જે કઈ તમારી જરૂરિયાત કરતાં વધારે છે તે અલ્લાહના માર્ગમાં ખર્ચો”

મહંમદ સાહેબના પત્ની હજરત આયશ કહે છે,

“આવતી કાલ માટે બચાવી રાખવાને મહંમદ સાહેબ અલ્લાહ

પરના વિશ્વાસની ઉણપ કહેતા.”

મહંમદ સાહેબના અનુયાયીઓ અવારનવાર તેમને કીમતી ભેટસોગાદો આપતા.

પણ પોતાની કુટિરમાં તેનો તેઓ કયારેય સંગ્રહ કરતાં નહીં. સોનું, ચાંદી કે

પૈસા જે દિવસે કુટિરમાં આવતા એ જ દિવસે મહંમદ સાહેબ તેને ગરીબોમાં વહેચી

દેતા. તે રાતવાસો મહંમદ સાહેબની કુટીરમાં ક્યારેય ન રહેતા.

એકવાર મહંમદ સાહેબ ને રાત્રે બેચેની થવા લાગી. પત્ની હજરત આયશાને

અડધી રાત્રે જગાડી આપે પૂછ્યું,

“કુટિરમાં પૈસા, સોનું કે ચાંદી તો નથી પડ્યા ને ?”

હજરત આયશા બોલી ઉઠયા,

“હા, સાંજે અબ્બા (અબૂબકર) ગરીબોને આપવા પૈસા આપી ગયા છે તે પડ્યા છે.”

હજરત મહંમદ સાહેબ તુરત બોલ્યા,

“જા અત્યારે ને અત્યારે તે પૈસા હાજતમંદોમાં વહેચી દે. પ્રેષિતના છાપરા નીચે

ધન ન હોય”

અને અડધી રાત્રે હજરત આયશાએ એ ધન ગરીબોમાં વહેચી દીધું.

મહંમદ સાહેબ હંમેશા કહેતા,

“માનવીનો હક્ક આટલી ચીજો સિવાઈ કશા પર નથી. રહેવા માટે ઘર, દેહ ઢાંકવા

વસ્ત્રો, ભૂખ મિટાવા રોટી અને પ્યાસ બુજાવવા પાણી.”   

અરબસ્તાનના શાસક તરીકે તેમણે અપરિગ્રહના સિધ્ધાંતનું અક્ષરસહ પાલન કર્યું

હતું. મહંમદ સાહેબ ક્યારેય કોઈ સિંહાસન કે ઊંચા આસન પર બેઠા નથી. તેમનું  

રહેવાનું મકાન કાચી ઈંટોનું હતું. એ મકાનમાં ખજૂરીના પાંદડાની ગારાથી છાંદેલી

દીવાલો હતી. છાપરું પણ ખજૂરીના પાંદડાનું બનેલું હતું. ઘરમાં બેસવા સાદડી કે

સાદા પાથરણ હતા. મહંમદ સાહેબના પહેરણને મોટે ભાગે બટન હોતા નહીં. આવા

અત્યંત સાદા ઘરમાં પણ સ્વચ્છતા અને સુઘડતા નજરે પડતી.

હજરત મહંમદ પયગંબર સાહેબ હંમેશા કહેતા,

“મુસાફરીમાં જેટલું આપણે રાખીએ એથી વધુ આ દુનિયામાં આપણે ન રાખવું

જોઈએ.”

એકવાર કોઇકે આપને પૂછ્યું,

“આપને તકિયો જોઈએ જોઈએ છીએ ?”

હજરત મહંમદ સાહેબ ફરમાવ્યું,

“મુસાફર વૃક્ષના છાયા નીચે થોડીવાર બેસે ને પછી ચાલતો થાય એથી વધુ મારો

સંબધ આ જગત સાથે નથી.”

અપરિગ્રહના આવા કપરા સિધ્ધાંતનું પાલન કરનાર મહંમદ સાહેબ પાસેથી કદાચ

ગાંધીજી પણ આ સિધ્ધાંતનું સાચું અર્થઘટન પામ્યા હશે એમ કહેવું વધુ પડતું નહીં

કહેવાય.  

Leave a comment

Filed under Uncategorized