Monthly Archives: September 2013

અમીર ખુસરોની રચનાઓમા સૂફીવાદ : ડો.મહેબૂબ દેસાઈ

સૂફી પરંપરાના પ્રખર ઉપાસક અબ્દુલ હસન યામિન ઉદ્દીન ખુશરો (ઈ.સ.૧૨૫૩- ૧૩૨૫) તુર્કના વતની હતા. તેમના પિતા અમીર સૈફુદ્દીન ઈરાનથી ભારતમાં આવ્યા હતા. ઈરાનમાં ચંગીઝખાનએ પ્રજામાં અરાજકતા પ્રસરાવી હતી. તેનાથી બચવા તેઓ ભારત આવી વસ્યા હતા. અમીર ખુસરોનો જન્મ પતિયાલામાં થયો હતો. બાળક હતા ત્યારે તેમના માતા-પિતા તેમને બુરખામાં લપેટી એક સંત પાસે લઇ ગયા હતા. તેમને આવતા જોઈ એ સંત બોલી ઉઠ્યા હતા,
“આ બાળક મહાન કવિ, બહાદુર અને ધાર્મિક બનશે. ખુબ કીર્તિ અને માન મેળવશે”
નાનપણથી જ હઝરત નિઝામુદ્દીન ઓલિયાના સહવાસને કારણે ઉર્દૂ, તુર્કી અને ફારસી સાથે લોકબોલીમા તેઓએ નિપૂર્ણતા કેળવી હતી. તેમની રચનાઓમાં તે જોઈ શકાય છે. તેઓ શીઘ્ર કવિ તરીકે પંકાયેલા હતા. એકવાર ખુસરો પગપાળા જઈ રહ્યા હતા. રસ્તામા તેમને તરસ લાગી. એક કુવા પર ચાર પનીહારીઓ પાણી ભરી રહી હતી. ખુસરોએ તેમને પાણી પીવડાવવા વિનતી કરી. પનીહારીઓ તેમને ઓળખી ગઈ. અને બોલી ઉઠી,
‘આપ તો શીઘ્ર કવિ છો. અમે ચારે જણ એક એક શબ્દ બોલીએ તેના પરથી કવિતા બનાવી દો, તો તમને પાણી પીવડાવીએ”
અને ચારે પનીહારીઓ એકએક શબ્દ બોલી. ખીર, ચરખો, કુતરો અને ઢોલ. ચારે શબ્દો સાંભળી એક પળ ખુસરો વિચારમાં મગ્ન રહ્યા અને પછી બોલી ઉઠ્યા,

” ખીર પકાઈ જતન સે, ચરખા દિયા જલા,
આયા કુત્તા ખા ગયા, તું બેઠી ઢોલ બજા”

ખૂસરોની આધ્યાત્મિક રચનાઓમા ખુદાને સાજન અને પોતાને દુલ્હનના સ્વરૂપમાં જોવાની,ચાહવાની ખેવના અતુટ રીતે વ્યક્ત થાય છે. જેમ મીરા કૃષ્ણને પોતાના સાજન માની તેની ઇબાદતમાં લીન રહેતી હતી. એમ જ અમીર ખુશરો પણ પોતાને આશિક અને ખુદાને માશુકા માની ખુદાની ઇબાદતમાં લીન રહેતા હતા. સુહાગ રાતે દુલ્હનનો શ્રુંગાર પતિને રીઝવવા માટે હોય છે. એમ જ માનવીનો શ્રુંગાર તેમના કર્મો છે. જે ખુદા સાથે ભક્તને એકાકાર કરે છે. શ્રુંગાર એ મન, વચન અને કર્મથી ખુદા પાસે જતાં પૂર્વે શુદ્ધ થવાની પ્રક્રિયાનો એક ભાગ છે. અમીર ખુશારોં નીચેની તેમની રચનામા તેનું સુંદર આલેખન કરે છે.

“ખુશરૂ રૈન સોહાગ કી
જાગી પી કે સંગ
તન મોરો મન પીઉ કો
દોઉ ભયે એક રંગ

ગોરી સોવે સેજ પર
મુખ પર ડારે ખેસ
ચલ ખુસરો ઘર અપને
રૈન ભઈ ચહું દેસ

શ્યામ સેત ગોરી લીયે
જનમત ભઈ અનીત
એક પલ મે ભીર જાતે હૈ
જોગી કાકે મીત”

સુહાગની (રૈન) રાત્રીએ મારી પ્રિયતમા સાથે મારો પ્રથમ મેળાપ થયો. ત્યારે મે તેની સાથે આખી રાત વિતાવી. પ્રિયતમા સાથે આખી રાત જાગવાની તો શું વાત કરું ? ગાઢ પ્રેમે અમારા પર એવું તો આધિપત્ય જમાવ્યું કે અમે બંને એક બીજામા એકાકાર થઇ ગયા.
અમીર ખુશરોની એક રચના “બહુત ખેલે ખેલી” જાણીતી છે. જેમાં સસુરાલ જતી દુલ્હનને સંબોધીને અમીર ખુશરોએ આધ્યાત્મિક વિચારોને વાચા આપી છે. દુલ્હન ખુદાના ભક્તનું પ્રતિક છે. અને સસુરલા ખુદાનું ધર છે. સાજ-સિંગાર, સખીયો દુનિયાની મોહમાયા અને ભૌતિક બંધનો છે. એને છોડીને એકલાજ દુલ્હને સસુરાલ જવાનું છે. દુલ્હનને વિદા કરવા સઘળા સગા સબંધીઓ આવ્યા છે. જેમ માનવીની અંતિમ વિદાઈ સમયે સૌ તેને વિદા કરવા આવે છે. ચાર કહાર દુલ્હનની ડોલીને ઉપાડે છે. જેમ ચાર માનવી જનાજા કે ઠાઠડીને ઉપાડીને લઇ જાય છે. આ વિચારને અમીર ખુશારોએ સુંદર અને અસરકારક શૈલીમાં વ્યક્ત કરેલ છે.

“બહુત રહી બાબુલ ઘર દુલહીન,
ચલ તેરે પી ને બુલાઈ
બહુત ખેલ ખેલી સખિયન સોં
અંત કરી લરકાઈ

ન્હાઈ ઘોઈ કે વસ્તર પહિરે,
સબ હી સિંગાર બનાઈ
વિદા કરન કો સબ આયે
સિગરે લોગ લુગાઈ

ચાર કહારન ડોલી ઉઠાઈ
સંગ પુરોહિત નાઈ
ચલે હી બનેગી હોત કહાં હૈ
નૈનન નીર બહાઈ

અંત વિદા હૈ ચલિ હૈ દુલહિન
કાહુ કી કછુ ના બસાઈ,
મોજ ખુસી સબ દેખત રહ ગયે
માતા પિતા ઔર ભાઈ

મોરિ કૌન સંગ લગિન ધરાઈ
ધન ધન તેરી હૈ ખુદાઈ
બિન માંગે મેરી મંગની જો દીન્હી
પર ઘર કી જો ઠહરાઈ

અંગુરી પકરિ મોર પહુંચા ભી પકરે
કેંગ અંગુઠી પહીરાઈ
નૌશા કે સંગ મોહી કર દીન્હી
લાજ સંકોચ મિટાઈ

સોના ભી દીન્હા, રૂપા ભી દીન્હા
બાબુલ દિલ દરિયાઈ
ગહેલ ગહેલ ડોલતી આંગન મે
પકર અચાનક બૈઠાઈ

બૈઠત મહીન કપરે પહનાયે
કેસર તિલક લગાઈ
‘ખુસરો’ ચલી સસુરાલ સજની
સંગ નહિ કોઈ જાઈ”

અમીર ખુશરોની ઉપરોક્ત રચનામા સંત કબીરની એક રચનાનો પડછાયો દેખાય છે. સૂફી સંતોની વિચારધારામાં રહેલ સામ્યની તે સાક્ષી પૂરે છે. કબીર લખે છે,
” કર લે સિંગાર ચતુર અલબેલી
સાજન કે ઘર જાના હોગા
મીટ્ટી બિછાવન, મીટ્ટી ઓઢાવન
મીટ્ટી સે મિલ જાના હોગા
ન્હા લે ધો લે શીશ ગૂંથા લે
ફિર વહાં સે નહિ આના હોગા ”
એકવાર અમીર ખુસરો બાદશાહ સાથે બંગાળના પ્રવાસે ગયા હતાં. ત્યાં તેમને પોતાના ગુરુ નિઝામુદ્દીન સાહેબના અવસાનના સમાચાર મળ્યા. તેથી તેમણે બાદશાહ પાસે તુરત દિલ્હી જવાની રજા માંગી.બાદશાહે તેમને રજા ન આપી. એક પળનો પણ વિચાર કર્યા વગર તેમણે બાદશાહને સંભળાવી દીધું,
“ હું આ જ પળથી આપની નોકરીમાંથી મુક્ત થાઉં છું.”
અને બાદશાહની ઉંચા પગારની વગદાર નોકરી ત્યાગી તેઓ દિલ્હી પહોંચી ગયા. પણ ત્યારે તો ગુરુને દફનાવી દેવામાં આવ્યા હતાં.એટલે ગુરુની કબર પાસે તેઓ ખુબ રડ્યા. રડતા રડતા તેઓ મૂર્છિત થઈ ગયા. ભાનમાં આવ્યા ત્યારે સૌ પ્રથમ કાર્ય તેમણે પોતાની સમગ્ર મિલકત ગુરુના નામે ગરીબોને વહેચી દેવાનું કર્યું .અને કાળા વસ્ત્રો ધારણ કરી ઝીંદગીના અંતિમ શ્વાસ સુધી ગુરુની મઝારની ખિદમતમા સક્રિય રહ્યા. ઈ.સ.૧૩૨૫ના ઓક્ટોબર માસમા દિલ્હીમાં તેમનું અવસાન થયું. એ સાથે સૂફી પરંપરાના એક યુગનો અંત આવ્યો.

Leave a comment

Filed under Uncategorized

વ્યાજ મુક્ત ઇસ્લામિક બેંકો : ડૉ. મહેબૂબ દેસાઈ

વિશ્વની તમામ બેંકો વ્યાજ ઉપર ચાલે છે. ધંધા રોજગાર માટે કે જીવન જરૂરિયાત માટે વ્યાજે નાણાં ધીરવા અને બેંકમાં નાણા મુકનાર ખાતેદારને તેમના નાણાં કે થાપણ ઉપર વ્યાજ આપવું. એ આજે દરેક બેંકનો મુખ્ય વ્યવસાઈ બની ગયો છે. અર્થાત આજની બેન્કિગ વ્યવસ્થાના કેન્દ્રમાં વ્યાજ છે. નફા અને વિકાસ માટે વ્યાજ લેવું કે આપવું આજની બેંકો માટે અનિવાર્ય બની ગયુ છે. આવા સંજોગોમાં વિશ્વના આર્થિક પ્રવાહથી સંપૂર્ણ ભિન્ન વ્યાજ મુક્ત બેંકો સ્થાપવી અને ચલાવવી એ એક આશ્ચર્યકારક ઘટના છે. આમ છતાં આજે વિશ્વના અનેક દેશોમાં વ્યાજ મુક્ત બેંકો અસ્તિત્વમાં છે, અને તેની સંખ્યા દિનપ્રતિદિન વધતી જાય છે. એ વિચાર આર્થિક વિશ્વમાં ક્રાંતિકારી સમો છે.

વ્યાજ મુક્ત બેન્કિગ પ્રથાનો વિચાર વિશ્વને ઇસ્લામની દેન છે. ઇસ્લામના પવિત્ર ગ્રંથ કુરાન-એ-શરીફ અને શરીયતના કાનુન મુજબ વ્યાજ અર્થાત “રીબા” લેવું કે આપવું ગુનાહ છે.

કુરાન-એ-શરીફમા કહ્યું છે,

“ખુદાએ વેપારને પ્રાધાન્ય આપ્યું છે, પણ વ્યાજ (રીબા)પર સખ્ત પ્રતિબંધ મુક્યો છે”

“અને રીબા (વ્યાજ ) કે જે લોકો પોતાના માલને વધારવાના હેતુથી વ્યાજ લે છે કે આપે છે, તે અલ્લાહ પાસે  પોતાના માલમાં કઈ જ વધારો કરી શકતા નથી. પણ અલ્લાહની ખુશી માટે જે ખેરાત (દાન) આપે છે એવા જ લોકો પોતાના માલ અને સવાબને વધારનાર છે”

“હે ઈમાનવાળાઓ, બમણું, ચોગુનું વ્યાજ ન ખાઓ. અને અલ્લાહથી ડરો કે જેથી તમે સફળ થાઓ”

“ખુદાએ વેપારને પ્રાધાન્ય આપ્યું છે, પણ વ્યાજ પર સખ્ત પ્રતિબંધ મુક્યો છે”

આમ ઇસ્લામિક આર્થિક વ્યવસ્થા મુજબ વ્યાજ આપતી બેન્કોમાં પૈસા મુકવા કે વ્યાજે કર્ઝ લેવું ઇસ્લામમાં હલાલ નથી. પરિણામે ઇસ્લામિક વિદ્વાનોએ વ્યાજ મુક્ત આર્થિક વ્યવહાર ઉપર સંશોધન કરવાનો આરંભ કર્યો. ઇ.સ. ૧૯૪૫મા મિર્ઝા બશીર ઉદ્-દિન મહેમુદે સૌ પ્રથમવાર ઇસ્લામિક અર્થશાસ્ત્ર પર એક વિશદ ગ્રંથ “નિઝામે નઉ” લખ્યો. તેમાં તેમણે ઇસ્લામિક અર્થ વ્યવસ્થાના ભાગ રૂપે ઇસ્લામિક બેંકોની સ્થાપનાનો વિચાર વ્યક્ત કર્યો હતો. એ પછી તેમણે ઈ.સ. ૧૯૪૫મા

“ઇસ્લામકા નિઝામી ઇક્તીસાદ” નામક ગ્રંથમા ઇસ્લામિક બેંક અંગેના ઉદેશો અને તેની કાર્ય પદ્ધતિઓનો પરિચય આપ્યો. આ વિચારને કેન્દ્રમાં રાખી મોહંમદ હમીદુલ્લાએ “ઇક્તીસાદ” અર્થાત મારું અર્થતંત્ર નામકા ગ્રંથ લખ્યો. જેમા ઇસ્લામિક બેંકના વિચારને વધુ દ્રઢ કરવામાં આવ્યો. આ વિચાર પર ગહન ચર્ચા વિચારણા કરવા ઇસ્લામિક રાષ્ટ્રોની કરાંચી (૧૯૭૦), ઈજીપ્ત (૧૯૭૨), લંડન (૧૯૭૭)મા આંતર રાષ્ટ્રીય કોન્ફરન્સો મળી. તેના પરિણામે સ્વરૂપે ૨૦ ઓક્ટોબર ૧૯૭૫મા”ઇસ્લામિક ડેવલોપમેન્ટ બેંક” નામક એક સંસ્થાની સ્થાપના જીદ્દાહ (સાઉદી અરેબિયા)મા કરવામાં આવી. હાલ તેના પ્રેસીડન્ટ અહેમદ મોહંમદ અલી અલ મદની છે. “ઇસ્લામિક ડેવલોપમેન્ટ બેંક”નો મુખ્ય ઉદેશ વિશ્વમાં વ્યાજ મુક્ત ઇસ્લામિક બેન્કોની સ્થાપના કરવી, અને ઇસ્લામી કાનુન મુજબ વિશ્વના મુસ્લિમ સમાજનો આર્થિક, સામાજિક અને શૈક્ષણિક વિકાસ કરવા જરૂરી ફંડ પૂરું પાડવું.

ઈ.સ. ૧૯૭૬મા જોર્ડનના ડૉ. સેમી હુસૈન હોમોદ નામના અર્થશાસ્ત્રીએ “ઇસ્લામિક બેન્કિંગ” વિષય પર પીએચ.ડી.ની પદવી મેળવી. અને પછી તેમણે જોર્ડનમાં સૌ પ્રથમ “જોર્ડન ઇસ્લામિક બેંક”ની સ્થાપના કરી.  આજે વિશ્વના અનેક રાષ્ટ્રોમાં વ્યાજ મુક્ત ઇસ્લામિક બેન્કોનો આરંભ થયો છે. દુબઈ, સાઉદી અરબિયા, જોર્ડન, અમેરિકા, ઇંગ્લેન્ડ, પાકિસ્તાન, પેલેસ્ટિન, યમન, ઇન્ડોનેશિયા, સીરિયા, ફિલીપાઇન્સ, ઈરાન, ઈરાક, લિબિયા, અલ્જેરિય, કુવેત, તુર્કી  જેવા અનેક રાષ્ટ્રોમાં વ્યાજ મુકત ઇસ્લામિક બેંકો કાર્યરત છે. જેમાં ઈરાનની ઈરાનીયન બેંક, મેલ્લી ઈરાન, સાઉદી એરીબીયાની અલ રીજાહી બેંક અને બેંક મિલ્લત, બેંક સદારત ઈરાન અગ્ર છે. આ બેન્કોની સરેરાસ વાર્ષિક આવક જાવક ૪૫.૫ કરોડ છે.

જેમાં વ્યાજ આપવા કે લેવામાં આવતું નથી. ભારતમાં ઇસ્લામિક બેંકના વિચારને હાલમાં રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયએ માત્ર કેરળ રાજ્યમાં સૈદ્ધાંતિક રીતે સ્વીકારેલ છે. જો કે ઇસ્લામના કાનુન મુજબની કોઓપરેટીવ બેંકો ભારતમાં અસ્તિત્વમાં છે. જેમ કે મુંબઈમા ઈ.સ.૧૯૮૪-૮૫મા

“ઓલ ઈન્ડિયા કાઉન્સીલ ઓફ મુસ્લિમ ઇકોનોમિક અપલીફ્મેન્ટ” નામક સંસ્થા દ્વારા માત્ર ૨૫૦૦૦ હજારની મૂડીથી આરંભાયેલ “બેતુલ્માલ કૉ. ક્રેડીટ સોસાયટી” મુસ્લિમ સમાજના વ્યાજ મુક્ત નાણાઓનો ઉપયોગ સામાજિક ઉન્નતી માટે કરે છે.  

આવી વ્યાજ મુક્ત ઇસ્લામિક બેન્કના મુખ્ય લક્ષણો જાણવા અને માણવા જેવા છે. જે નીચે મુજબ છે,

ઇસ્લામિક બેંકમાં કોઈ પણ થાપણદાર વ્યાજ મેળવવાના હેતુથી બેંકમા નાણાં મુકતો નથી. કારણ કે ઇસ્લામિક બેંક કોઈ પણ થાપણદારને તેની થાપણ પર વ્યાજ આપતી નથી.

  1.  ઇસ્લામિક બેંક કુરાને શરીફ અને શરીયતના કાયદા, સિદ્ધાંતો અને માર્ગદર્શન મુજબ કાર્ય કરે છે.
  2.  ઇસ્લામિક બેંકમાં ઇસ્લામના કાનુન મુજબના કોઈ પણ હલાલ અર્થાત નૈતિક ઉદેશ માટે આપવામાં આવતા કર્ઝ કે લોન પર પર વ્યાજ લેવામાં આવતું નથી.
  3. ઇસ્લામિક બેંકમાં મુકવામાં આવતી કોઈ પણ પ્રકારની થાપણ કે નાણા ઉપર કોઈ ઉપર પ્રકારનું વ્યાજ આપવામાં આવતું નથી.
  4.  ઇસ્લામિક બેંકના ખાતેદાર બેંકના ભાગીદાર હોય છે. તેથી તેઓ બેંકના નફા નુકસાનના  ભાગીદાર હોય છે. થાપણ પરના વ્યાજના હક્કદાર હોતા નથી.
  5.  જેટલી રકમ ખાતેદાર બેંકમા મુકે છે તેટલી જ રકમ ખાતેદાર પરત મેળવવાને અધિકારી છે.
  6.  ઇસ્લામિક બેંક અન્ય બેંક જેમ જ વ્યવસાય માટે કર્ઝ આપે છે. પણ ઇસ્લામે દર્શાવેલ હરામ અર્થાત અનૈતિક કાર્યો માટે ઇસ્લામિક બેંક કર્ઝ કે લોન આપતી  નથી. જેમ કે દારૂના વ્યવસાય કે તેની સાથે સંકળાયેલ કોઈ પણ બાબત માટે ઇસ્લામિક બેંક કર્ઝ (લોન) આપતી નથી. કારણ કે ઇસ્લામમાં દારૂ પીવો,  પીવડાવવો કે તેની કોઈ પણ બાબત સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાવું એ મોટો ગુનોહ છે.

Leave a comment

Filed under Uncategorized

National Seminar

National Seminar

Leave a comment

September 19, 2013 · 6:09 AM

NATIONAL SEMINAR ON GRASSROOT WORKERS OF GANDHIAN ERA (1920-1947)

विश्वविद्यालय अनुदान आयोग द्वारा प्रायोजित राष्ट्रीय संगोष्ठी
गांधीयुग के ज़मीनी कार्यकर्ता
(1920-1947)
(20-21 दिसंबर, 2013)

प्रो. महेबूब देसाई
संगोष्ठी संयोजक

प्रो. कनुभाई नायक
आचार्य

डॉ. राजेन्द्र खिमाणी
कुलसचिव
इतिहास एवं संस्कृति विभाग
महादेव देसाई समाजसेवा महाविद्यालय,
गूजरात विद्यापीठ
आश्रम रोड, अहमदाबाद-380014
राष्ट्रीय आन्दोलन में गांधी जी के प्रवेश से आन्दोलन का पूरा चरित्र ही बदल गया। गांधी ने भारतीय राष्ट्रीय आन्दोलन को जन-जन तक पहुँचाया। राष्ट्रीय आन्दोलन के मुद्दों को जनता से जोड़ा। सही मायनों में देखा जाए तो इसी समय में ही स्वतन्त्रता संघर्ष ने राष्ट्रीय स्वरूप लिया था। भारतीय राष्ट्रीय कांग्रेस जो कि अभी तक एक अभिजात वर्ग का ही एक संगठन हुआ करता था जिसमें ज़मीनी कार्यकर्ता जुड़ने लगे। भारत के सुदूर और पहुँच की दृष्टि से जटिल माने जाने वाले विस्तारों में भी लोग पहुँचे और स्वतन्त्रता का अलख जगाया। ईस्वी सन् 1920 से लेकर 1947 तक का काल भारतीय इतिहास में गांधी के प्रभाव का युग माना जाता है, इसलिये यहाँ पर गांधी युग से तात्पर्य 1920-1947 का काल है।
यद्यपि इस काल में भारतीय राजनीति और सामाजिक स्तर पर गांधी का प्रभाव व्यापक था किन्तु इससे भिन्न विचारधाराओं का भी अपना प्रभाव था। राजनीति, राज्यव्यवस्था, समाज-व्यवस्था आदि को लेकर अपने-अपने विश्लेषण थे। इन विभिन्न विचारधाराओं से भारतीय राजनीति और समाज दोनों के स्वरूप और चरित्र में व्यापक बदलाव देखने को मिलते हैं। वास्तव में यह वह समय था जिसे हम भारत के नवजागरण का चरम मान सकते हैं। राजनीतिक स्वतन्त्रता के साथ-साथ अधिकारों, कर्तव्यों, जरूरतों आदि पर विचार और कार्य होने लगा। ये मुद्दे अब सत्ता पर विचार-विमर्श के मुद्दे नहीं रहे बल्कि जन-विचार के मुद्दे बनने लगे। अब महज अंग्रेजों से नहीं बल्कि हर तरह की गुलामी से मुक्ति की बात सामने आने लगी। इस प्रकार की चेतना में ज़मीन से जुड़े कार्यकर्ताओं की सबसे अहम भूमिका रही है। हम ज़मीनी कार्यकर्ता उसे कह सकते हैं जो किसी भी कार्यक्रम में सबसे निचले स्तर पर काम करता हो अर्थात वह उन स्थानीय प्रतिनिधियों के लिये जमीन तैयार करता हो जिन्हें हम सामान्य भाषा में जन-प्रतिनिधि के रूप में जानते हैं। किसी भी कार्यक्रम की सच्ची और आधारभूत ताकत तो वह होता है। फिर चाहे वह कोई राजनीतिक कार्यक्रम हो, गांधी जी के रचनात्मक कार्यक्रम हों, ट्रेड यूनियन का कोई आन्दोलन हो, सामाजिक मुद्दों को लेकर किया गया कार्य हो, शैक्षणिक या साहित्यिक गतिविधियाँ हों।
अब तक इतिहास लेखन में राष्ट्रीय स्तर के प्रमुख नेतृत्व की बात ही होती रही है। हालाँकि उपाश्रित अध्ययन ने ज़मीनी स्तर के इतिहास-लेखन का कार्य किया है किन्तु ऐसे ज़मीनी स्तर के कार्यकर्ता जो कि उन बड़े बदलावों की नींव की तरह थे जो बाद में देखे गए और जो आज भी हो रहे हैं, के विषय में इतिहास अभी भी पूरी तरह नहीं खुला है। इस संगोष्ठी का मूल उद्देश्य गांधी युग में भारत के विभिन्न हिस्सों में सामाजिक-राजनीतिक बदलावों के लिये कार्य करने वाले उन ज़मीनी कार्यकर्ताओं को मुख्यधारा में लाना है जिन्हें आज तक इतिहास में कभी भी स्थान नहीं मिला और वे इतिहास की सुन्दर इमारत में नींव के पत्थर की तरह दब गए हैँ।
उप विषयः-
1. राजनीतिक कार्यकर्ता
2. रचनात्मक कार्यकर्ता
3. ट्रेड यूनियन कार्यकर्ता
4. महिला कार्यकर्ता
5. मुस्लिम कार्यकर्ता
6. साहित्यिक गतिविधियाँ एवं कार्यकर्ता
7. दलित, आदिवासी एवं कृषक कार्यकर्ता

अनुदेश
शोध पत्र भेजने संबंधी अनुदेश
• शोध पत्र की शब्द सीमा 4000 शब्दों से अधिक नहीं होनी चाहिये।
• शोध पत्र के साथ 250 शब्दों का सार भी भेजना अनिवार्य है।
• शोध-पत्र प्रस्तुत करने के लिये पंद्रह मिनट का समय दिया जाएगा।
• शोध पत्र गुजराती, हिन्दी एवं अंग्रेजी भाषा में स्वीकार्य किये जाएँगे।
• शोध पत्र में गुजराती भाषा के लिए श्रुति, हिन्दी के लिए मंगल एवं अंग्रेजी के लिए टाइम्स न्यू रोमन फाँट का प्रयोग किया जाए।
• कुल 40 शोध पत्रों का चयन स्क्रुटिनी समिति के द्वारा किया जाएगा।
• जिन शोध पत्रों का चयन किया जाएगा उन्हें ही प्रस्तुत करने की अनुमति होगी।
• चयनित शोध पत्र के लेखक को स्वयं प्रस्तुत होने पर भारतीय रेलवे का द्वीतिय श्रेणी स्लीपर का आने-जाने का किराया उसके स्थान से अहमदाबाद तक का दिया जाएगा, जिसके लिये टिकट प्रस्तुत करना होगा।
• शोध पत्र स्वीकार करने की अन्तिम तारीख 10 नवंबर, 2013 रहेगी।
• 20 नवंबर, 2013 तक चयनित शोध पत्रों की सूचना दे दी जाएगी।

• शोध पत्र निम्नलिखित पते पर सॉफ्ट एवं हार्ड कॉपी में भेजे जा सकते हैं-

डॉ. महेबूब देसाई
अध्यक्ष,
इतिहास एवं संस्कृति विभाग
गूजरात विद्यापीठ, आश्रम रोड़
अहमदाबाद- 380014
ई-मेल- mehboobudesai@gmail.com
संपर्क – 09825114848,
079-40016277 (कार्यालय)
079-26818841 (निवास)

रजिस्ट्रेशन फीस
• शोध पत्र चयनित अभ्यर्थी के लिए रु. 500.
• संगोष्ठी में बिना शोध पत्र के भाग लेने वालों के लिए रु. 800.

(सभी अभ्यर्थियों की ठहरने एवं भोजन की व्यवस्था आयोजन-संस्था द्वारा कि जाएगी)

Leave a comment

September 14, 2013 · 11:00 AM